SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ જિનમાર્ગનું અનુશીલન એટલે જ્યારથી વિ. સં. ૧૯૯૧-૯૨) તપગચ્છમાં પર્વતિથિ નિમિત્તે આ તિથિચર્ચાનો જન્મ થયો ત્યારથી, જ્યારે જ્યારે સાથે આવતી બે પર્વતિથિઓમાંની બીજી પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે, એક જ ગચ્છમાં બીજી પર્વતિથિની આરાધના જૂની પરંપરા અને નવા પક્ષમાં જુદાજુદા વારે થતી, અને તેથી દર વર્ષે ક્યારેક-કયારેક બારપૂર્વી અને કલ્યાણક-દિવસોની આરાધના બંને પક્ષે જુદાજુદા વારે કર્યાના પ્રસંગો બની આવતા. એક જ ગચ્છમાં પર્વદિન જેવા ધર્મકરણીના અને કર્મ ખપાવવાના અવસરના આરાધનમાં પ્રવર્તતો, સંઘમાં ક્લેશ-દ્વેષનું નિમિત્ત બનતો આ ભેદ જૂના અને નવા બંને પક્ષોમાંના સહૃદય મુનિરાજો તેમ જ શ્રાવકોને ખટકતો હતો. તેથી તેઓ ઇચ્છતા હતા, કે ગમે તેમ કરીને તપગચ્છ સંઘમાંથી આ ખટરાગ દૂર થાય; આ માટે તેઓ પોતાની સૂઝ અને શક્તિ પ્રમાણે પ્રયત્ન પણ કરતા રહેતા હતા. બાકી તો, એક કે સાથોસાથ આવતી બે પર્વતિથિઓમાં જ્યારે ક્ષય આવતો, ત્યારે જૂની અને નવી પરંપરાનાં પંચાંગોમાં કેટલાક ફેર હોવા છતાં, આરાધનાના દિવસમાં કશો ફેર ન પડતો. (જૂની પરંપરાના જૈન પંચાંગમાં પર્વતિથિનો ક્ષય કે એની વૃદ્ધિ દર્શાવવામાં નથી આવતી, જ્યારે નવા પક્ષના પંચાંગમાં પર્વતિથિનાં ક્ષય અને વૃદ્ધિ બંને છાપવામાં આવે છે અને પર્વની આરાધના કયા વારે કરવી એ પણ સૂચવવામાં આવે છે.) આ તિથિચર્ચાને લીધે તપગચ્છ સંઘમાં ભારે ક્લેશ જાગી ઊઠ્યો હતો. એટલે એનો કોઈ રીતે નિવેડો આવે એ માટે પ્રયત્ન જરૂરી હતો. આવો પહેલો નોંધપાત્ર પ્રયત્ન કર્યો જૈનસંઘના મુખ્ય અગ્રણી શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ. વિ. સં. ૧૯૯૯માં તેઓના પ્રયાસથી ડૉ. પી. એલ. વૈદ્યને આ બાબતની લવાદી કરવાનું, જૂની પરંપરાની રજૂઆત કરવાનું આચાર્ય શ્રી સાગરનંદસૂરિજીને અને નવા પક્ષની રજૂઆત કરવાનું આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીને સોંપવામાં આવ્યું. આ રજૂઆત બાદ ડૉ. પી. એલ.વૈદ્ય પોતાનો ફેંસલો નવા પક્ષની તરફેણમાં આપ્યો. છતાં આ ફ્લેશકર મતભેદનું શમન ન થયું. આ પછી પણ આ ઝગડાને દૂર કરવા જુદાજુદા મુનિરાજો તથા સદ્દગૃહસ્થો તરફથી નાના-મોટા પ્રયત્નો થતા રહ્યા, પણ એનું કશું નોંધપાત્ર પરિણામ ન આવ્યું. અલબત્ત, એથી આ ઝઘડો દૂર થવો કેટલો જરૂરી છે અને એથી સંઘને કેટલું નુકસાન થઈ રહ્યું છે એનો તો, આમ મથનારાઓને વધારે સ્પષ્ટ ખ્યાલ આવ્યો. વિ. સં. ૨૦૧૪માં તપગચ્છના શ્રમણસમુદાયનું એક નાનું મુનિસંમેલન ખાસ આ માટે જ અમદાવાદમાં મળ્યું, પણ એમાં પણ આ પ્રશ્નનો કંઈ નિવેડો ન આવ્યો; અને બે અઠવાડિયે એ વિખરાઈ ગયું. આ માટેના એક વધુ પ્રયાસ તરીકે એ જ વર્ષે જૈનપુરી અમદાવાદના તપગચ્છ સંઘે વિ. સં. ૨૦૧૪ના બીજા શ્રાવણ વદિ સાતમથી, ચંડાશુગંડુ પંચાંગને બદલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy