SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ “અસત્યો માંહેથી...” “પોતાના અનુયાયીઓની સંખ્યામાં દિવસે-દિવસે ઘટાડો થવા છતાં, જૈનધર્મ હિંદુસ્તાનમાં બીજા ધર્મોની સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી શકયો છે તેનું એક અને મુખ્ય કારણ એનું સંસ્કારબળ, અને બીજું મહત્ત્વનું કારણ એના અનેક બાહોશ અનુયાયીઓનું ગણનાપાત્ર ધનોપાર્જન-બળ છે. આ ધનબળ અને સાધર્મિકો માટે તેના ઉદાર વ્યયનું બળ જો નબળું થઈ જાય, તો તેની અસર સંસ્કારબળ ઉપર શી થાય એનો ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે.” તાત્ત્વિક કે આર્થિક – ગમે તે દૃષ્ટિએ પશુસંવર્ધન અને જીવદયા પ્રજાજીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી જેઓ એ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, તેઓ દેશસેવાનું જ કામ કરે છે, અને તેમને પૂરો સાથ અને સહકાર આપવો દરેક દેશવાસીની ફરજ છે. પશુસંરક્ષણને આપણે પ્રજાસંરક્ષણ સમજીએ, જીવદયાને આપદયા સમજીએ અને જાગ્યા ત્યારથી સવાર ગણીને આપણી સંસ્કૃતિની શોભા અને દેશની શક્તિ વધારવાના આ પુણ્યકાર્યમાં આપણો વધુમાં વધુ ફાળો નોંધાવીએ.” “દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થવાની છે એ તો કાળદેવતાનો વજલેખ છે; અને જૈન સંસ્કૃતિએ તો સદીઓ પહેલાંથી એના પાયામાં જ આવી ઊંચ-નીચતાનો કે અસ્પૃશ્યતાનો ધરમૂળથી વિરોધ કરેલો છે. એટલે અસ્પૃશ્યતાના દોષને દૂર કરવામાં પૂરેપૂરો સાથ આપવો એ જૈન મુનિવરોની તો ખાસ જવાબદારી છે. એ જવાબદારી અદા કરીશું, તો આપણા ધર્મ અને આપણી સંસ્કૃતિની પ્રતિષ્ઠા અને પ્રગતિ વધારીશું; નહીં તો, જે થવાનું છે, તે તો થયા વગર રહેવાનું નથી.” જેનામાં તીવ્ર અને વ્યાપક સંવેદનશીલતા અને એને વાચા આપવાની પ્રતિભા હોય એ મહાકવિ બની શકે; જેનામાં ભવિષ્યનાં પગલાં પારખવાની આર્ષદૃષ્ટિ જાગી હોય, તે મહર્ષિ બની શકે; એ જ રીતે જેના અંતરમાં સમસ્ત પ્રજાનાં દુઃખનાં સંવેદનોને ઝીલવાની અને એની સાથે એકરૂપતા સાધવાની અપાર કરુણા હોય, એ જ વ્યક્તિગત રીતે મહાન નેતા બની શકે. આ બાબત માત્ર બૌદ્ધિક તાકાતને ખીલવવાની નહીં, પણ હૃદયને મહાસાગર જેવું વિશાળ બનાવવાની છે.” (લેખકશ્રીની ભવ્ય અંતરયાત્રામાંથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy