SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૩, ૪ ૨૨૫ દરેક સાધુ-સાધ્વી બીજાઓને સુધારવાની ચિંતાથી મુક્ત બનીને પહેલાં જાતને જ વિશુદ્ધ રાખવાનો વિચાર કરે તો આ કામ મુશ્કેલ મટીને સાવ સરળ બની જાય. જ્યારે યાત્રાસંઘનો દરેક પ્રવાસી પોતપોતાનો સામાન ઊંચકી લેવાની જવાબદારીને પૂરી કરે છે, ત્યારે ખૂબ મુશ્કેલ લાગતું કામ પણ કેવું આસાન બની જાય છે ! શ્રમણસમુદાયની આચારશુદ્ધિનું જતન કરવાની વાત પણ આવી જ છે. સૌ પોતપોતાની જાતને સંભાળી લે તો કોઈને કશું કહેવાનું કે કરવાનું ન રહે ! સહુ કોઈ એટલું તો જાણે છે, કે સમાજરચના, સંઘવ્યવસ્થા અને ધર્મસ્થાપનાનાનો ઉપાય માનવીને વ્યક્તિગત રીતે ન્યાય, નીતિ અને સદાચારને માર્ગે વાળવામાં છે. તેથી જ્યારે એક વ્યક્તિ પોતાના જીવનની શુદ્ધિની ઉપેક્ષા કરે છે, ત્યારે એથી સમાજશુદ્ધિમાં ખામી આવી જાય છે, અને છેવટે આખા રાષ્ટ્રની શુદ્ધિ ભયમાં મુકાય છે. સ્વ અને પર બંનેનું કલ્યાણ એ જ સાધુજીવનનો મૂળ પાયો છે. એ પાયાને જરા પણ નુકસાન પહોંચે એવી પ્રવૃત્તિથી શ્રમણ સમુદાયની પ્રત્યેક વ્યક્તિ દૂર રહે એ જ અભ્યર્થના ! (તા.૨૭-૪-૧૯૬ ૩) (૪) ભેદશમનનાં મંગળ એંધાણ વિચારશક્તિ અને માનસિક ભૂમિકાના વૈવિધ્યના કારણે માનવ-સમાજમાં એક જ વસ્તને સમજવાની જે જાતજાતનાં દષ્ટિબિંદુઓ ઉદ્દભવે છે, તેનું વર્ગીકરણ મુખ્યપણે બે વિભાગોમાં કરવામાં આવે છે : જુનવાણી અને પ્રગતિશીલ. આ બે જાતની વિચારસરણીઓ અને એના સંઘર્ષનું મૂળ શોધતાં ઠેઠ માનવકુળની ઉત્પત્તિ સુધી પહોંચવું પડે. જૈન સમાજમાં પણ જૂના-નવા વિચારોનો સંઘર્ષ ઘણા લાંબા કાળનો છે, પણ છેલ્લી અડધી સદીમાં આ સંઘર્ષે ઠીક-ઠીક ઉગ્ર રૂપ લીધું છે. એમ કહી શકાય કે લગભગ બધા ય ધર્મ કે સંપ્રદાયોમાં આવો સંઘર્ષ જાગી ઊઠ્યો છે; કારણ કે, આ વર્ષોમાં દુનિયામાં એટલા બધા અવનવા વિચાસ્પ્રવાહો – ફક્ત વિચાર-પ્રવાહો જ શા માટે ? એ વિચાર-પ્રવાહોથી પ્રેરિત પ્રત્યક્ષ ફેરફારો પણ – ગતિમાનું બન્યા છે કે એની અસર એક વ્યક્તિના પોતાના અંગત જીવનથી માંડીને ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ પહોંચ્યા વગર નથી રહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy