SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૪, ૨૫ ૧૫૩ બંધારણ પોતે સર્વાગસંપૂર્ણ હોય કે કંઈક ખામીવાળું હોય, પણ મુખ્ય વાત સહૃદયતા અને નિષ્ઠાપૂર્વક એનો અમલ કરી બતાવવાની છે. સ્વ. પૂ. આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરસૂરિજીના સમુદાયના સાધુઓ પણ છએક વર્ષ પહેલાં અમદાવાદમાં એકત્ર થયા હતા, અને એમણે સાધુજીવનને વિશુદ્ધિના માર્ગે દોરી જવા માટે, એમને આવશ્યક લાગ્યા એવા કેટલાક નિયમો મહાવીર-જયંતીના પવિત્ર દિવસે નક્કી કર્યા હતા. (તા. ૨૩-૩-૧૯૬૩) (૨૫) આત્મનિરીક્ષણનો એક સ્તુત્ય પ્રયાસ ગત ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં યૂબીનજી તીર્થમાં દિગંબર જૈન સમાજના પ્રતી-સંઘ-સંમેલનનું પાંચમું અધિવેશન ભરાઈ ગયું. આમાં મુનિઓ ઉપરાંત અનેક ક્ષુલ્લકો, ક્ષુલ્લિકાઓ, બ્રહ્મચારીઓ, બ્રહ્મચારિણીઓ અને અર્શિકાઓએ ભાગ લીધો હતો. એનું અધ્યક્ષપદ મુનિ શ્રી વિમલસાગરજીને આપવામાં આવ્યું હતું. આ સમેલને સમાજના ત્યાગી-સમુદાય અને તૃતી-સમુદાયના અત્યારના જીવનને લક્ષમાં રાખીને એને વિશુદ્ધ બનાવવાની કે ઊંચું લાવવાની દૃષ્ટિએ ત્રણ ઠરાવો પસાર કર્યા છે તે ખાસ ધ્યાન દેવા યોગ્ય હોવાથી અહીં રજૂ કરીએ છીએ : (૧) આ સમેલન ભવિષ્યમાં વતી થવાવાળા સજ્જનો પાસેથી આગ્રહપૂર્વક આશા રાખે છે કે તેઓ વ્રતો વગેરેનો સ્વીકાર કરતાં પહેલાં પોતાની શક્તિ, અનુકૂળતાઓનો પૂરેપૂરો વિચાર કરે અને એને અનુરૂપ વ્યવસ્થા કર્યા બાદ જ વિશેષ સંયમ વગેરેનો સ્વીકાર કરે. (૨) આ સમેલન અત્યારના તૃતીઓમાં રહેલાં કાયરતા, અજ્ઞાન, લોભવૃત્તિથી ભરેલા પ્રમાદ તરફ ચિંતા તેમ જ દુઃખ વ્યક્ત કરવાની સાથે એમને વિનંતી કરે છે કે જ્યાં લગી એમનામાં સ્વતંત્ર રહેવાની યોગ્યતા પૂર્ણરૂપમાં ન આવે ત્યાં લગી તેઓ કોઈ પણ ઉદાસીન-આશ્રમમાં રહીને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો અને પોતાના ચારિત્રને નિર્મળ કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરે. (૩) આ સમેલન પ્રત્યેક ત્યાગી, બ્રહ્મચારીને આગ્રહપૂર્વક વિનંતી કરે છે કે તેઓ પોતાના અંગત ખર્ચને નામે કે કોઈ પણ સંસ્થાને નામે કોઈ પણ પ્રકારનું દાન ન લે, ન કોઈ જાતનો ફંડ-ફાળો કરાવે અને ન કોઈ સંસ્થાની આર્થિક જવાબદારી લે; નિઃસ્વાર્થપણે સંસ્થાની સેવા કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy