SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન (૬) શ્રમણવિધાલય – એક અવશ્ય કરવા જેવું કાર્ય - પ્રારબ્ધને બાદ કરીએ (ખરી રીતે તો પ્રારબ્ધ એ પણ ભૂતકાળનો પુરુષાર્થ જ છે) તો માનવીનો વિકાસ એ પોતાને મળેલ સમય, શક્તિ અને સાધનસામગ્રીનો એ કેવોક ઉપયોગ કરી જાણે છે, તેમ જ ક્યારેક પ્રતિકૂળ લાગતા સંયોગો સામે એ કેવો પુરુષાર્થ આદરે છે એના ઉપર જ આધાર રાખે છે. આપણો શ્રમણસમુદાય પણ કંઈ આ સર્વસામાન્ય નિયમનો અપવાદ નથી. એની ચડતી-પડતીનો ઇતિહાસ પણ આ સામાન્ય નિયમની યથાર્થતાની જ સાખ પૂરે છે. વ્યાવહારિક વિકાસની વાત હોય કે ધાર્મિક-આધ્યાત્મિક-પારમાર્થિક વિકાસનો વિચાર હોય; બંનેમાં જ્ઞાન અને ક્રિયાનું સમાન રીતે મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. કોઈ વિકાસનો માર્ગ જ ખ્યાલમાં ન હોય તો એ માર્ગે આગળ વધવાની શક્યતા જ નથી રહેતી. અને માર્ગનો બોધ થયા છતાં એ માર્ગે જો આગળ વધવામાં ન આવે તો એ બોધ કશું પણ ઇષ્ટ પરિણામ નિપજાવી શકતો નથી. આમ જોઈએ તો જૈન શ્રમણસમુદાયનું જીવન જ્ઞાન અને ક્રિયાની આરાધનાને વરેલું છે. એ બેની ઉત્કટ ઉપાસના દ્વારા એમણે મિત્તે કે સવ્વપૂTY (“મારી સર્વ ભૂતો સાથે મૈત્રી છે') એ વિશ્વમૈત્રીના સૂત્રનો જીવનમાં સાક્ષાત્કાર કરીને પોતાના અંતિમ સાધ્યને સિદ્ધ કરવાનું છે. પણ જ્યારેજ્યારે આ જ્ઞાનસાધના ઓછી વ્યાપક અને ઓછી સત્વગામી બનીને કોઈ ક્ષુલ્લક પક્ષનું કે સાંપ્રદાયિક માન્યતાઓનું સમર્થન કરવાના માર્ગે વળી જાય છે, તેમ જ ક્રિયાની આરાધના ચિત્તશુદ્ધિ અને કર્મ-કષાય-ફ્લેશમુક્તિ દ્વારા આત્મશુદ્ધિની સાધક બનવાને બદલે ચિત્તની રૂઢતા અને મૂઢતામાં જ અટવાઈ જાય છે, ત્યારે તેવા શ્રમણોના અનુગામીઓનો વિકાસ પણ થંભી જાય છે; બલ્બ, એમાંથી કટ્ટર સાંપ્રદાયિકતાનો પ્રાદુર્ભાવ થવાને લીધે સમાજ કે સંઘમાં ક્લેશ, દ્વેષ અને કુસંપ વ્યાપક બની જાય છે. પછી સંઘ એક શક્તિહીન બાહ્ય કલેવર બની જાય જૈનસંઘની વર્તમાન સ્થિતિ કંઈક અંશે આવી જ શોચનીય બની ગઈ છે. એટલે સંઘનું સંગઠન સાધવાનો, સંઘને પ્રાણવાન બનાવવાનો અને સંઘનો સર્વાગીણ અભ્યદય કરવાનો એકમાત્ર ઉપાય આપણા શ્રમણ સમુદાયની જ્ઞાનોપાસનાને ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જવી એ જ છે. તો જ આપણો ગુરુવર્ગ પોતાનાં સમય, શક્તિ અને સાધનસામગ્રીનો પોતાના તેમ જ સંઘના અભ્યદય માટે ઉપયોગ કરી શકે. આ દૃષ્ટિએ વિચારતાં, પૂજય પંડિતવર્ય શ્રી સુખલાલજીએ થોડા દિવસો પહેલાં કપડવંજમાં ઊજવાયેલ પૂજ્ય મુ. મ. શ્રી પુણ્યવિજયજીના જન્મતિથિ-સમારંભમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy