SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮૯ ૬૫. આત્માને શરીરપ્રમાણ માને છે, તેથી આત્માની ગમનાદિ ક્રિયા સંભવિત હોવાથી સંસાર અને મુક્તિ બને ઘટે છે. જીવે જેવું આયુષ્ય, ગતિ, જાતિ આદિ બાંધ્યાં હોય, તે કર્મોનો ઉદય થાય ત્યારે તેને અનુસરીને જીવ તે ક્ષેત્રમાં જાય છે. આમ, એક ગતિમાંથી બીજી ગતિમાં ગમન ઘટતું હોવાથી સંસાર ઘટે છે. તેવી જ રીતે મોક્ષગામી જીવનું પણ પૂર્વપ્રયોગાદિ કારણો અનુસાર સિદ્ધક્ષેત્રમાં ગમન થાય છે. તે સિદ્ધશિલા ઉપર જાય છે અને ત્યાં શાશ્વત આનંદઘનરૂપે સ્થિત થાય છે. આમ, મોક્ષપદની સિદ્ધિ થાય છે, માટે જ ભમપૂર્ણ જીવોનો મોક્ષસત્તાનો નિષેધ કરતો મત જરા પણ આવકારવા યોગ્ય નથી. જીવનો મોક્ષ થઈ શકે છે, કારણ કે બંધ સ્વાભાવિક કે આકસ્મિક નથી. જો બંધ જીવનો સ્વાભાવિક ધર્મ હોય તો તે બંધ જીવ સાથે સદા માટે રહેવો જોઈએ, પણ તે તો સંયોગ-વિયોગરૂપ છે; તેથી સમય પાકતાં જૂનો બંધ ટળે છે અને જીવ વિકાર કરે તો જ નવો બંધ થાય છે. જો બંધ સ્વાભાવિક હોય તો સર્વ બદ્ધાત્મા જ હોય, કોઈ મુક્તાત્મા હોઈ શકે નહીં. વળી, બંધ સ્વાભાવિક હોય તો બદ્ધ જીવોમાં પરસ્પર અંતર પણ ન દેખાય, કારણ કે ભિન્ન કારણ વિના એક જાતિના પદાર્થોમાં ભેદ હોઈ શકે નહીં. પરંતુ જીવોમાં ભેદ દેખાય છે, તેથી બંધ સ્વાભાવિક નથી. જેમ બંધ સ્વાભાવિક નથી, તેમ તે આકસ્મિક પણ નથી, અર્થાત્ કારણ વગર તેની ઉત્પત્તિ નથી. દરેક કાર્ય પોતપોતાના કારણ અનુસાર જ થાય છે. સ્થળ બુદ્ધિથી તેનું કારણ જાણી શકાતું ન હોવાથી તેને કેટલાક લોકો આકસ્મિક કહે છે. પરંતુ બંધ આકસ્મિક હોઈ શકે નહીં. સદા નિયમબદ્ધ થનાર બંધને આકસ્મિક કઈ રીતે કહી શકાય? અને જો બંધ આકસ્મિક ન હોય તો બંધથી છૂટવું - મોક્ષ પણ આકસ્મિક હોઈ શકે નહીં. બંધનું કારણ જીવના વિકારી ભાવ છે. જીવના વિકારી ભાવોમાં તરતમતા દેખાય છે, તેથી તે ક્ષણિક છે અને ક્ષણિક વિકારી ભાવના કારણે થતો કર્મબંધ પણ ક્ષણિક છે, કેમ કે જેનું કારણ ક્ષણિક હોય તેનું કાર્ય શાશ્વત કઈ રીતે હોઈ શકે? જેનું કારણ શાશ્વત હોય તેનું જ કાર્ય શાશ્વત હોય. શાશ્વતપણું અને તરતમતા એ બન્ને શીતળતા અને ઉષ્ણતાની માફક પરસ્પર વિરોધી છે. કર્મનો બંધ અને ઉદય તરતમતા સહિત જ થાય છે, માટે બંધ શાશ્વત નથી. તેથી બંધના હેતુઓનો અભાવ થતાં મોક્ષ થાય છે એમ સ્વીકારવું જ જોઈએ. મોક્ષ એ તો આત્માનું પૂર્ણશુદ્ધ અને ચિન્મય સ્વરૂપ છે. જ્યાં સુધી કર્મોનો સંપૂર્ણ રીતે ક્ષય થતો નથી, ત્યાં સુધી આત્માનો શુદ્ધ સ્વભાવ છુપાયેલો રહે છે. જે જીવ સર્વ કર્મોનો નાશ કરીને પોતાનું સાધ્ય પ્રાપ્ત કરી લે છે, તે પૂર્ણ આનંદ મેળવે છે. કર્મબંધનથી મુક્તિ મળ્યા પછી જન્મ-મરણરૂપ દુઃખના ચક્રની ગતિ રોકાઈ જાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy