SearchBrowseAboutContactDonate
Page Preview
Page 812
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૭ ૭૭૯ વર્તમાન જીવનમાં કેવળજ્ઞાનની શક્તિરૂપે સ્પષ્ટપણે પ્રતીતિ થઈ ગઈ છે. સ્વાનુભૂતિથી પરમાત્મપદનો અમને નિઃશંકપણે જે નિશ્ચય થયો છે, તે શ્રી સદ્ગુરુદેવની નિષ્કારણ કરુણાનું ફળ છે. અમારા આત્મામાં કેવળજ્ઞાનની સ્પષ્ટ પ્રતીતિ થઈ હોવાથી અમને શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન થયું છે. એકમાત્ર શુદ્ધ આત્માનો જ અમને લક્ષ રહે છે, તેથી વિચારદશાએ અમને કેવળજ્ઞાન પ્રગટ્યું છે. ત્રણ કાળ - ત્રણ લોકના સર્વોત્કૃષ્ટ દુન્યવી વૈભવને તરણાતુલ્ય તુચ્છ શ્રદ્ધીએ છીએ અને અંતરમાં તેને જરા પણ નથી ઇચ્છતા, એક કેવળજ્ઞાનને જ ઇચ્છીએ છીએ, તેથી ઇચ્છાદશાએ અમને કેવળજ્ઞાન થયું છે. શુદ્ધાત્મદ્રવ્ય કેવળજ્ઞાનમય હોવાથી મુખ્ય એવો જે દ્રવ્યાર્થિક નય તેની અપેક્ષાએ પણ અમને કેવળજ્ઞાન છે. આ પ્રમાણે અમારા આત્મામાં ઉત્પન્ન થયેલું સ્વસંવેદનપ્રત્યક્ષ જે સમ્યકત્વ છે તે ક્રમે કરીને વધતું વધતું સર્વ મોહનીય કર્મનો નાશ કરી, અનંત અવ્યાબાધ સુખને પ્રગટ કરવાવાળું છે. આવી વિશિષ્ટ નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચવામાં જેમનાં વચનો, મુદ્રા અને સમાગમ અમને પરમ ઉપકારભૂત થયાં છે, જેમના યોગથી અમારા આત્મામાં ઊંચી ઊંચી અધ્યાત્મદશા પ્રગટ કરવાની યોગ્યતા પ્રાપ્ત થઈ છે, તેવા મૂર્તિમાન મોક્ષસ્વરૂપ શ્રી સત્પરુષના ઉપકારને અમે ફરી ફરી પ્રણામ કરીએ છીએ. અનંત ઉપકારી, આત્મદાતા એવા સત્પરુષના ચરણોમાં વારંવાર ભક્તિથી, અત્યંત અત્યંત ભક્તિથી, સર્વોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! જો કે તેમના અપૂર્વ ઉપકારનો બદલો અમે કોઈ પણ રીતે વાળી શકવાને સમર્થ નથી, છતાં તેમના પ્રત્યે અમારી કૃતજ્ઞતા યહૂકિંચિત્ પ્રગટ કરવા માટે અને અમારા આત્માને વિશેષ વિશેષ નિર્મળ બનાવવા માટે અમે અમારા ચિત્તમાં તે મહાપુરુષનું વારંવાર સ્મરણ કરીએ છીએ. સુશિષ્યને શ્રીગુરુના અમાપ ઉપકાર પ્રત્યે અત્યંત અહોભાવ વર્તે છે. તે વિચારે છે કે “આ દાસ ઉપર પ્રભુના અનેકવિધ અનંત ઉપકાર છે. મારા પરમ ઉપકારી પ્રભુને હું કઈ વિધિથી પૂજું? જેમનું જીવન અને ઉપદેશ નિરંતર જ્ઞાનપ્રકાશ ફેલાવી રહ્યાં છે, તેમની લાખો દીવાથી આરતી ઉતારું તોપણ એ ઉપકારભાનુ આગળ એ દીવાઓ અત્યંત ઝાંખા લાગે છે. જેમણે મને આત્મિક સુધારસમાં તરબોળ કર્યો છે, તેમનો ક્ષીરસાગરના નીરથી અભિષેક કરું તોપણ એ અભિષેક એ ઉપકારસાગર આગળ એક બિંદુમાત્ર પણ લાગતો નથી. જેમણે મુક્તિદાયક મોક્ષમાર્ગ દર્શાવ્યો છે, તેમનું કલ્પવૃક્ષનાં ફળથી પૂજન કરું તોપણ એ ઉપકારમેરુ આગળ તુચ્છ લાગે છે. આ રીતે દૈવી સામગ્રીઓથી પૂજન કરતાં પણ તેમને પૂજવાની ભાવના તૃપ્ત થાય એમ નથી. પરમોપકારી પ્રભુ પ્રત્યેની ભક્તિભાવના ત્યારે તૃપ્ત થશે કે જ્યારે આત્મિક સામગ્રીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy