SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૫ ૭૪૫ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભક્તિનો કર્તા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સપુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો!”૧ શ્રીમદ્ કહે છે કે છે પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ સર્વ કાળને માટે વિદ્યમાન છે; પરંતુ એ મૂળ આત્મસ્વરૂપ અજ્ઞાની જીવને વિષે અનાદિથી અપ્રગટ છે. સદ્દગુરુએ આપેલ સમજણને આત્મામાં પરિણમાવતાં તે આત્મસ્વરૂપ સહજતાથી પ્રગટે છે. શ્રી સદ્ગુરુનાં વચનામૃતથી જ્યારે સ્વરૂપનો નિઃશંક નિર્ણય થાય છે ત્યારે સર્વ સંકલ્પ-વિકલ્પ નષ્ટ થઈ જતાં ચંચળતા વિલીન થાય છે, ચિત્તમાં મોકળાશ રહે છે, જાગૃતિ રહે છે અને સ્વસંવેદન પ્રગટે છે. આ આત્મસ્વરૂપ પ્રગટવાથી અનંત સમાધિસુખથી યુક્ત એવી દશા પ્રાપ્ત થાય છે. જીવ અનાદિ કાળથી દુ:ખી હતો. તેનાં એ તમામ દુઃખનો અંત આવતાં તે પરમાનંદમય થાય છે. તેના સઘળા ભયનો અંત આવે છે અને તે નિર્ભય થાય છે. ભયપરિણામને સ્થાને તેનામાં કોઈ અલૌકિક સાહસ જાગૃત થઈ જાય છે. પોતાનું અને પરનું સ્વરૂપ સમ્યક પ્રકારે જાણ્યું હોવાથી તે સાત ભયથી રહિત નિર્ભય થઈ જાય છે. તે સાત ભય આ પ્રમાણે છે – (૧) આ લોકનો ભય - દસ પ્રકારના પરિગ્રહનો નાશ થવાનો ભય, (૨) પરલોકનો ભય - પરલોકમાં મારી કઈ ગતિ થશે? કયા ક્ષેત્રે જવું પડશે? એ આદિ દુર્ગતિમાં જન્મ લેવાનો ભય, (૩) મરણ ભય - પ્રાણ છૂટી જવાનો, નાશ પામવાનો ભય, (૪) વેદના ભય - રોગાદિ દુઃખ આવી પડવાનો ભય, (૫) અરક્ષા ભય - પોતાની રક્ષા કરનાર કોઈ નથી એમ જાણી થતો ભય, (૬) અગુપ્તિ ભય - પોતાની વસ્તુ સાચવવાનું સ્થળ નથી, તેથી તે ચોરાઈ જવાનો ભય અને (૭) અકસ્માત ભય – અચાનક વિપત્તિ આવવાનો ભય. જેમના ઉપદેશથી શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે એવા સત્પરુષનો મહિમા અચિંત્ય છે, અવર્ણનીય છે. શ્રીમદ્ કહે છે કે સત્પરુષના ગુણોની શી વ્યાખ્યા કરું? શું મહિમા કરું? તે વાણીમાં સમાય એમ નથી. તેમના મહિમાનો અલ્પાંશ જ વચનમાં આવી શકે છે. સત્પરુષનો મહિમા કહેવામાં પોતે અસમર્થ છે એમ શ્રીમદ્ જણાવે છે. આત્માનું સામર્થ્ય અને ભાષા પરનું પ્રભુત્વ બને હોવા છતાં શ્રીમદ્ પોતાની અશક્તિ દર્શાવે છે, કેમ કે કંઈ પણ લેવાની સ્પૃહા વિના પરમાત્મભાવ આપનાર પુરુષનો ઉપકાર અનંતો છે; તો આ અનંત ઉપકાર માટે શબ્દો લાવવા ક્યાંથી? ઉપકાર અનંત છે, શબ્દ સંખ્યાત છે; ઉપકાર અમર્યાદિત છે, શબ્દો મર્યાદિત છે; ઉપકાર ચેતનવંતો છે, ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૫ (પત્રાંક-૪૯૩, છ પદનો પત્ર') Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy