SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૪ ૭૨૯ ઊમટે છે. તે આત્મા સમજાવનાર વીતરાગી સદ્ગુરુના ઉપકારને સદૈવ પોતાના સ્મરણમાં રાખે છે. પોતાના આદર્શને - પ્રેરણામૂર્તિને તે પોતાના જ્ઞાનમાં હાજર રાખી નિરંતર તેમની પૂજા કરે છે. તેને સદગુરુના અનુગ્રહનું સતત વેદન રહે છે. ક્યારેક તે વેદન સ્તુતિરૂપે પ્રગટ થાય છે, ક્યારેક કીર્તનરૂપે પ્રસ્તુટિત થાય છે, તો ક્યારેક અશ્રુઓરૂપે વહેવા માંડે છે. શિષ્યના સમગ્ર વ્યક્તિત્વમાં સદ્ગુરુના ઉપકારનો જ સ્વર ગુંજે છે. તેના વ્યક્તિત્વના દરેકે દરેક અંશમાં આ ગુંજન વ્યાપી જાય છે, વિસ્તરી જાય છે. શરીરના એ કેક કણમાં સદ્ગુરુનો ઉપકાર વેદાય છે. નસોમાં વહેતી લોહીની ધારામાં સગુરુનો ઉપકાર વેદાય છે. સદ્ગુરુના ઉપકારના વેદન વિના એની નસોમાં લોહીનું ભ્રમણ થતું નથી. આવતા-જતા શ્વાસમાં સદ્દગુરુનો ઉપકાર વેદાય છે. એક પણ શ્વાસ સદ્ગુરુના ઉપકારના સ્મરણ વિના અંદર આવતો નથી અને એક પણ ઉડ્ડવાસ સદ્દગુરુના ઉપકારના સ્મરણ વગર બહાર નીકળતો નથી. હૃદયના દરેક ધબકારામાં સદ્ગુરુના ઉપકારનું સ્મરણ હોય છે. હૃદયનો એક પણ ધબકારો સગુરુના ઉપકારના સ્મરણ વિના ધબકતો નથી. માત્ર એક જ વાત, એક જ તંત - “આ પામર ઉપર આપ પ્રભુએ અનંત ઉપકાર કર્યો છે.' બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે છે – “સંસારમાં કોઈ ધંધે લગાડી આપે તો તેનો ઉપકાર જિદંગી સુધી યાદ કરે છે કે મને આણે આજીવિકાનું સાધન કરી આપ્યું; તો અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરતો આવ્યો છે તે ભ્રમણ કરતો અટકાવ્યો, સદ્ગુરુના યોગથી દિશા ફરી ગઈ, કર્મબંધ કરતો હતો તેથી અટક્યો, બહિર્મુખ હતો તેથી ફરીને અંતર્મુખ થયો, તે ઉપકાર, બુદ્ધિથી માપી ન શકાય તેવો છે. આ ક્યારે મનાય? પોતાની પામરતાનું ભાન થાય ત્યારે તે પુરુષનો ઉપકાર સમજાય.’ કોઈ જીવ સર્પના ડંખથી દુઃખમાં તરફડતો હોય, તે વખતે કોઈ સજ્જન ગારુડીમંત્ર વડે તેનું ઝેર ઉતારી આપે તો એ દુઃખમાંથી મુક્ત કરવા બદલ તે સજ્જન પ્રત્યે તે જીવ જેમ અત્યંત ઉપકારવશ થઈ જાય; તેમ રાગાદિ કષાયોરૂપી ફૂંફાડા મારતા મિથ્યાત્વરૂપી સર્પના ડંખથી સંસારભ્રમણરૂપી દુઃખમાં તરફડતા જીવને કોઈ સદ્ગુરુ જ્ઞાનરૂપી ગારુડીમંત્ર વડે સંસારભ્રમણનાં દુઃખથી મુક્ત કરે તો તે જીવ તેમના પ્રત્યે કેટલો ઉપકારવશ થઈ જાય! આવા ઉપકારને વશ થયેલો શિષ્ય સદ્ગુરુને બહુમાનપૂર્વક કહે છે, “હે પ્રભુ! અનાદિથી મારા ચૈતન્યતત્ત્વને ભૂલીને, પરમાં અને વિકારમાં જ મારાપણું માનીને હું આકુળ-વ્યાકુળ થઈ રહ્યો હતો. આપશ્રીએ કરુણા વરસાવીને વારંવાર મને પ્રતિબોધી, પરદ્રવ્ય અને વિકારથી અત્યંત ભિન્ન જ્ઞાનાનંદથી પરિપૂર્ણ ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ.૯૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy