SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૪ ૭૨૧ = આત્માર્થી જીવને સંસારનું સ્વરૂપ યથાર્થપણે સમજાયું હોવાથી અસંસારગત વિશેષાર્થ ૧] ભાવ પ્રત્યે તેને અવ્યક્તપણે પ્રેમ વહે છે; જ્યાં એ અસંસારગત ભાવો પ્રગટપણે વિદ્યમાન છે, ત્યાં તેનો ઉપયોગ રોકાય છે. તેને તેનો મહિમા જાગે છે. સંસારનું એકાંત દુઃખમય સ્વરૂપ નક્કી થયું હોવાથી અને એમાંથી છૂટવાની જિજ્ઞાસા બુલંદ બની હોવાથી, જે દ્વારા એમાંથી છુટાય એ ઉપકારી બળ પ્રત્યે તેને પ્રેમ જાગે છે. સત્પરુષને જોઈને તેના અંતરમાં શંખનાદ થાય છે કે “આ જ મારા ઉપકારી ગુરુ છે.' તેમની આંખોમાં તેને પોતાના ઉદ્ધારની યોજના દેખાય છે અને તેથી તે તેમના શ્રીચરણોમાં અર્પિત થઈ જાય છે. સુપાત્રદશાવાળ જીવ સંસારથી વિમુખ થઈ, સદ્ગુરુની વધુ ને વધુ સન્મુખ થવાનો પ્રયત્ન કરે છે. તે સદ્ગુરુની જીવનચર્યાનું, તેમની મુખમુદ્રાનું, તેમની ચેષ્ટાનું અવલોકન કરે છે અને તેમાંથી તેને આત્મહિત સાધવાનો માર્ગ મળે છે. આત્માર્થ સાધવા માટે જીવની કેવી અને કેટલી તૈયારી હોવી જોઈએ એ તેને સમજાય છે. તેને તેમના નિકટ પરિચયથી જણાય છે કે સદ્ગુરુ સમત્વશ્રેણીએ ડગ માંડી અબંધપરિણામી રહેવાની કળામાં પારંગત થયા છે. તેઓ પરમ શાંત દશામાં બિરાજમાન છે. તેઓ તો ચંદનથી પણ વધુ શીતળ છે, કારણ કે ચંદન ભલે શીતળ ગણાય, પણ તેને જો બહુ ઘસવામાં આવે તો તેમાંથી અગ્નિ પ્રગટે છે કે જે તેના સ્વભાવથી તદ્દન ઊલટું છે. જ્યારે પરમ શીતળ એવા સદ્ગુરુ તો ઉપસર્ગ-પરિષદના ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ સમ, શાંત, વૈર્યવંત જ રહે છે. સ્વભાવસમ્મુખતાના બળ વડે આવી પડેલા ઉપસર્ગ, પરિષહ, અંતરાય આદિને તેઓ સમત્વભાવે વેદી લે છે. તેમને સ્વાધીન આત્મતત્ત્વની અનુભૂતિ થઈ હોવાથી, ‘પરથી મને કોઈ લાભ-નુકસાન નથી' એવો તેમનો દઢ નિર્ણય પ્રત્યેક પળે જણાઈ આવે છે. તેમને જગતના કોઈ પણ પદાર્થ કે સંયોગ ઇષ્ટ લાગતા નથી. ‘પરમાંથી મારે કશું પ્રાપ્ત કરવાનું છે' એવી બુદ્ધિ તેમને છૂટી ગઈ છે. આત્મસુખ અને આત્મશાંતિના અમૃતરસથી પરિતૃપ્ત એવા મહાન સદ્દગુરુને નથી કોઈ દુન્યવી વસ્તુની આવશ્યકતા કે નથી દુનિયામાં કોઈ માનપાનની મહત્તા. આત્મામાં જ સંતુષ્ટ હોવાથી તેઓ નિઃસ્પૃહ છે. તેમને કોઈ પણ પ્રકારની આકાંક્ષા નથી. તેમને કોઈ ચાહના રહી નહીં હોવાથી ચિંતા, વ્યગ્રતા વિલીન થઈ ગઈ છે. તેમને સદા શાંત દશા વર્તે છે. સદ્ગુરુની દશા અને ચેષ્ટાનાં રહસ્યોનું ફરી ફરી નિદિધ્યાસન કરવાથી સુશિષ્યને સમજાય છે કે તેઓ કેવા મનોનિગ્રહી છે. તેમને મૌન રહેવું, અમૌન રહેવું બને સુલભ છે. તેઓ મૌન હોય કે વચનયોગ દ્વારા કંઈક પ્રકાશી રહ્યા હોય, તેમની આજુબાજુ શુદ્ધાત્માનું તેજ સદા વિલસતું રહે છે. તેમને કંઈ પણ કર્તવ્યરૂપ નહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy