SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૦ ૬૬૧ હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! પ્રત્યક્ષ એવો ચૈતન્યજ્યોતિરૂપ આત્મા તે હું છું. હું એક છું, સર્વ અશુદ્ધ પર્યાયોથી જુદો, જ્ઞાનસ્વરૂપે અનુભવાતો હું સદા શુદ્ધ જ છું. ઉપયોગલક્ષણે સનાતન સ્કુરિત એવો હું જ્ઞાન-દર્શનમય છું, સદા અરૂપી છું. તેનાથી ભિન્ન અન્ય કોઈ પણ, પરમાણુમાત્ર પણ મારું નથી. પહેલાં જીવ અનાદિ મોહની ઉન્મત્તતાથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો તેને જ્ઞાની ગુરુએ વારંવાર ઉપદેશ આપીને જાગૃત કર્યો ત્યારે પરમેશ્વરરૂપ એવા પોતાના આત્માને જાણીને, તેની શ્રદ્ધા કરીને તથા તેને અનુભવીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમેલો શિષ્ય પોતાને જે રીતે અનુભવે છે, તેનું વર્ણન કરતાં આચાર્યશ્રી કહે છે કે – “મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાઉં એવો હું ચૈતન્યમાત્ર જ્યોતિ સ્વરૂપ આત્મા છું. મારાં મતિ-શ્રુતજ્ઞાનને અંતરમાં એકાગ્ર કરીને હું મારું સ્વસંવેદન પ્રત્યક્ષ કરું છું, અર્થાત્ મારાં મતિ-શ્રુતજ્ઞાનને ઇન્દ્રિયો અને વિકલ્પોથી ભિન્ન કરીને સ્વસંવેદનપ્રત્યક્ષ વડે હું મારો અનુભવ કરું છું. અનંત ગુણ-પર્યાયથી નિરંતર પરિણમવા છતાં મારું ચૈતન્યસ્વરૂપ સદા એકરૂપે જ રહે છે, તેથી હું એક છું. ભેદરૂપ વ્યવહાર ભાવો વડે હું ભદાઈ જતો નથી. મારા અનુભવમાં તો જ્ઞાયક એકાકાર સ્વભાવ જ આવે છે, માટે હું એક છું. ખંડ ખંડ ભેદરૂપ નહીં અનુભવતો હું મારા આત્માને એક જ્ઞાયકભાવરૂપ જ અનુભવું છું. દેહાદિ પરદ્રવ્યો તથા શુભાશુભ પરભાવોથી જુદો જ્ઞાનસ્વરૂપે અનુભવતો હું સદા શુદ્ધ છું. ભેદના વિકલ્પોને હું નથી અનુભવતો, પણ જ્ઞાયકસ્વભાવ તરફ વળીને નિર્વિકલ્પ થતાં અંતરમાં આનંદસ્વરૂપ આત્માને હું શુદ્ધપણે અનુભવું છું. મારા વેદનમાં શુદ્ધાત્મા જ છે. હું ચૈતન્યમાત્ર હોવાથી સામાન્ય-વિશેષ ઉપયોગ લક્ષણને કદી પણ ઉલ્લંઘતો નથી, તેથી હું સદા દર્શન-જ્ઞાનમય છું. હું દર્શન-જ્ઞાન વડે પરિપૂર્ણ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૩૮ 'अहमिक्को खल सुद्धो दंसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्झ किंचिदि अण्णं परमाणुमित्तंपि ।।' સરખાવો : (૧) આચાર્ય શ્રી કુંદકુંદદેવકૃત, ‘ભાવપાહુડ', ગાથા ૫૯ 'एगो मे सस्सदो अप्पा णाणदंसणलक्खणो । सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा ।।' (૨) આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકત, ઇબ્દોપદેશ', શ્લોક ૨૭ ‘एकोऽहं निर्ममः शुद्धो, ज्ञानी योगीन्द्रगोचरः । बाह्याः संयोगजा भावा मत्तः सर्वेऽपि सर्वथा ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy