SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧૪ ૫૪૭ બહાર બધું લખ્યું લાગે છે. બહારમાં પરિણામ તન્મય થતાં નથી અને વારંવાર અંતરમાં ડૂબકી માર્યા કરે છે. અનુક્રમે શ્રાવકદશા, મુનિદશા, કૈવલ્યદશા, સિદ્ધદશા પામી તેઓ કૃતાર્થ થાય છે. આ પ્રમાણે જેમને જ્ઞાની પુરુષના યોગમાં સ્વસ્વરૂપનો દઢ નિશ્ચય થાય છે તેમને આનંદદાયક એવું નિજપદ પ્રગટે છે. તેઓ અવશ્ય અપાર શોકસ્વરૂપ એવા આ સંસારસમુદ્રને તરીને સર્વ માનસિક ચિંતાઓથી, શારીરિક રોગોથી અને સાંસારિક ઉપાધિઓથી ઉપર ઊઠે છે. ક્રમે કરીને તેમને સર્વ પ્રકારના બાહ્યાંતર સંગથી રહિત અને પરિપૂર્ણ જ્ઞાનાનંદના રસથી છલોછલ ભરેલું એવું પરમાત્મપદ પ્રગટ થાય છે. આ વાત ત્રણે કાળને માટે પરમ સત્ય છે. એક ક્ષણ પણ સ્વરૂપની ઝાંખી થતાં જીવમાં આવું આમૂલ પરિવર્તન આવી જાય છે. જેમ કોઈ એક ખંડમાં રહેલા ખજાનાની વાત કોઈ જાણકાર પાસેથી સાંભળી, પોતાનું દારિત્ર્ય દૂર કરવાની ઇચ્છાથી તે ખજાનાને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા કોઈ માણસને, અચાનક પવનના ઝપાટાથી થોડી ક્ષણો માટે તે ખંડનો પડદો ખમ્યો હોય ત્યારે પડદા પાછળ રહેલ ખજાનાનો ખ્યાલ આવતાં તેના પુરુષાર્થમાં આમૂલ પરિવર્તન આવી જાય છે; તેમ સદ્ગુરુ દ્વારા આત્મસ્વરૂપની ઓળખાણ કરી પુરુષાર્થ કરનાર સાધકને એક ક્ષણ માટે પણ જો સ્વરૂપનું દર્શન થાય તો, ત્યારપછી તેનું આખું જીવનવહેણ બદલાઈ જાય છે. જેમ અંધારી રાતે તદ્દન અજાણ્યા સ્થાને ઊભા રહેલા મુસાફરને વીજળીના ઝબકારામાં પોતાની આજુબાજુનું દૃશ્ય દેખાઈ જાય છે, તેમ સ્વાનુભવથી સાધકને એક પલકારામાં પોતાના સ્વરૂપનું દર્શન લાધે છે. એક ક્ષણ માટે પોતાના અકળ, શાશ્વત, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય છે અને પૂર્વના અજ્ઞાનનું સ્થાન આત્માનું નિર્માત જ્ઞાન લઈ લે છે. વર્ષોના શાસ્ત્રાભ્યાસથી જે પ્રાપ્ત ન થઈ શકે એનાથી પણ અધિક સ્પષ્ટ, નિશ્ચિત અને ઊંડાણવાળું જ્ઞાન આ થોડી જ ક્ષણોમાં તેમને થઈ જાય છે. નિર્વિકલ્પ અનુભવ વખતે તેમને એ પણ વિકલ્પ નથી આવતો કે હું અનુભવ કરનારો અને આ મારી અનુભવની પર્યાય છે', તો અન્ય વિકલ્પની તો વાત જ ક્યાં રહી? આ અનુભવ અત્યંત સુખદ હોય છે અને તેનાથી તેમને વચનાતીત શાંતિ લાધે છે. શુદ્ધાત્માની અનુભૂતિ થતાં બધા લેશો દૂર ભાગી જાય છે. કર્મકૃત વ્યક્તિત્વના પડની ઓથે રહેલ પોતાના તાત્વિક, અવિનાશી, જ્ઞાનમય આનંદસ્વરૂપની અનુભૂતિના પરિણામે તેમના હૃદયમાં શાંત રસનું ઝરણું વહેવા લાગે છે. તેઓ શાંતિ, સ્વસ્થતા અને પ્રસન્નતાથી સભર બને છે. તેમનું જીવન દિવ્ય બને છે. તેઓ જે કાંઈ જાણે-સમજે છે તે બધું દિવ્યતાથી વ્યાપ્ત હોય છે. તેમને પરમાં રહેલાં અહં-મમત્વનો નાશ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy