SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ભૂમિકા ગાથા ૧૧૩માં શ્રીગુરુએ કેવળજ્ઞાનનું રહસ્ય પ્રગટ કરતાં કહ્યું કે માત્ર નિજસ્વભાવનું જ્ઞાન જ્યાં અખંડપણે વર્તે છે તેને કેવળજ્ઞાન કહેવાય છે અને તે જ્ઞાન થયા પછી દેહ હોવા છતાં મુક્તદશા અનુભવાય છે. આના ઉપરથી ફલિત થાય છે કે જો જીવ સ્વભાવમાં રહે તો મુક્તિ છે અને જો તે વિભાવમાં રહે તો સંસાર છે. અર્થ ગાથા જીવ અનાદિથી વિભાવમાં પ્રવર્તી રહ્યો છે. અનાદિ કાળનો વિભાવ શું કરવાથી દૂર થાય અને તે દૂર કરવામાં કેટલો કાળ વ્યતીત કરવો પડે, એનો ઉત્તર સંક્ષેપમાં એક સરળ દૃષ્ટાંત પ્રયોજી શ્રીગુરુ કહે છે — ૧૧૪ Jain Education International કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.' (૧૧૪) કરોડો વર્ષનું સ્વપ્ન હોય તોપણ જાગ્રત થતાં તરત શમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. (૧૧૪) ભાવાર્થ જીવની વૈભાવિક અવસ્થા અનાદિ કાળથી ચાલી આવે છે, છતાં તે અવસ્થાને ટાળવા માટે કાંઈ એટલા જ કાળની જરૂર પડતી નથી. જેમ કરોડ વર્ષનું સ્વપ્ન પણ ઊંઘમાંથી જાગતાં તરત શમી જાય છે, તેમ અનાદિનો વિભાવ પણ આત્મજ્ઞાન થતાં તરત દૂર થાય છે. દીર્ઘકાલીન નિદ્રામાં સૂતેલા માનવીને દીર્ઘ કાળનું સ્વપ્ન આવ્યું હોય, સ્વપ્નકાળમાં અનેકવિધ તરંગો રચાયા હોય, પરંતુ જ્યારે તે જાગૃત થાય છે ત્યારે એ સ્વપ્ન એકદમ વિલય પામે છે. આમ, ગમે તેટલું લાંબું સ્વપ્ન પણ જાગૃત થતાં પળવારમાં અંત પામે છે, તેમ સ્વસ્વરૂપ પ્રત્યે જાગૃત થતાં જ અનાદિની વિભાવ અવસ્થા દૂર થાય છે. For Private & Personal Use Only અનાદિ કાળથી જીવ વિભાવરૂપી સ્વપ્ન જોઈ રહ્યો છે. તે પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. તે દેખતભૂલીમાં અટવાઈ ગયો છે. તે પરને જોઈને પોતાને ભૂલી જાય છે. પરને જોતાં તે આત્માને વિસરી જાય છે, તેથી રાગદ્વેષરૂપ વિકારો કરી કર્મબંધ કરે છે અને દુઃખી થાય છે. આ વિભાવરૂપી સ્વપ્નમાંથી મુક્ત થવું એ જ ખરી સાધના છે. વિભાવરૂપી સ્વપ્નમાંથી મુક્તિ જાગૃત થવાથી જ પ્રાપ્ત થાય છે, અર્થાત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થવાથી થાય છે. અનાદિ કાળથી અજ્ઞાનરૂપી નિદ્રામાં સૂતેલા જીવનું www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy