SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૩ ૩૪૩ દ્વારા નષ્ટ થાય છે. આત્મબોધ અને વીતરાગતામાં જ મોક્ષમાર્ગનું સંપૂર્ણ રહસ્ય આવી જાય છે. સ્વરૂપના સંબંધમાં થતી ભૂલ તે મિથ્યા દર્શન છે, ભૂતપૂર્વક જાણવું તે મિથ્યા જ્ઞાન છે અને તે ભૂલમાં ટકવું તે મિથ્યા ચારિત્ર છે. જેવો આત્મપદાર્થ છે તેવો તેને માનવો તે સમ્યગ્દર્શન છે, તેવો તેને જાણવો તે સમ્યજ્ઞાન છે અને તેમાં ટકવું-ઠરવું તે સમ્યકુચારિત્ર છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે જ મોક્ષમાર્ગ છે અને તે જ સંસારથી મુક્ત થવાનો ઉપાય છે. દર્શનમોહનીયનો અભાવ થતાં સમ્યગ્દર્શન પ્રગટે છે અને તે દ્વારા જ્ઞાન પણ સમ્યપણું પામે છે તથા ચારિત્રમોહનો અભાવ થતાં પૂર્ણ સમ્યક્રચારિત્ર પ્રગટે છે; માટે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના નાશનો ઉપાય તે જ મોક્ષનો ઉપાય છે, અર્થાત્ આત્મબોધ અને વીતરાગતા એ જ મોક્ષનો ઉપાય છે. બોધ અને વીતરાગતાની એકતા છે તે જ મોક્ષમાર્ગ છે અને તે બન્નેના પૂર્ણપણાથી મોક્ષ થાય છે. આમ, સ્વરૂપની પ્રતીતિરૂપ આત્મબોધ અને સ્વરૂપમાં ઠરવારૂપ - સ્થિરતારૂપ વીતરાગતા એ જ મોક્ષનો અચૂક ઉપાય છે. શ્રી કાનજીસ્વામી કહે છે – આ મોક્ષના ઉપાયની રીત છે; આ ભાવે જ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટે છે. આ અચૂક ઉપાય છે. આમાં ત્રણે કાળ બીજા મત કે પંથ નથી. આમાં અમુક વેશ, સંપ્રદાય કે ક્રિયા કરવાનું ન આવ્યું; પણ સમજવાનું અને સમજણની સ્થિરતા એ બે ઉપાય કહ્યા. બહારનું કંઈ કરવું એમ ન આવ્યું. આત્મા આમ જ છે એવી સાચા અનુભવ સહિત પ્રતીતિ તે દર્શનમોહને ટાળે છે અને રાગ, દ્વેષ, રતિ, અરતિ, ભય, શોક, ક્રોધ, માન, માયા, લોભ વગેરે અસ્થિરતાને એટલે ચારિત્રમોહને ટાળનાર વીતરાગભાવની સ્થિરતા છે.” અહીં શ્રીગુરુએ મોહનીય કર્મને દૂર કરવા અચૂક ઉપાય, અર્થાત્ ચૂકે નહીં એવો અચૂક ઉપાય બતાવ્યો છે, જેને આચરવાથી મોહનીય કર્મ અવશ્ય દૂર થાય છે. મિથ્યા બોધ તે દર્શનમોહ છે અને તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે તથા રાગાદિ પરિણામ તે ચારિત્રમોહ છે અને તેનો પ્રતિપક્ષ વીતરાગતા છે. અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે - પ્રકાશ જેમ અંધકારનો નાશ કરવાનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને ૧- જુઓ : (૧) શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૫૯૨ (આંક-૭૬૬, ૧૦૭) “તત્ત્વાર્થની પ્રતીતિ તે “સમ્યકત્વ', તત્ત્વાર્થનું જ્ઞાન તે “જ્ઞાન', અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે શાંતભાવ તે “ચારિત્ર'.” (૨) એજન, પૃ.૭૪૦ (વ્યાખ્યાનસાર-૧, ૩૭) પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાન”, તેને લઈને સુપ્રતીતિ તે “દર્શન', અને તેથી થતી ક્રિયા તે “ચારિત્ર' છે.” ૨- શ્રી કાનજીસ્વામી, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy