SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૩ ૩૩૭ આત્મસ્વરૂપ સ્પષ્ટ જુદું ભાસે છે. દર્શનમોહ વ્યતીત થતાં જ આત્માનો અનુભવ થાય છે, પરંતુ તે જ સમયે પૂર્ણ સ્વરૂપસ્થિરતા પ્રગટતી નથી. પોતાની શિથિલતાના કારણે ચારિત્રમોહનીયમાં જોડાઈ જવાથી અસ્થિરતારૂપ દોષ થાય છે. પૂર્ણ સ્થિરતા પ્રગટે ત્યાં સુધીનો કાળ સાધકદશા છે, જે કાળમાં પૂર્ણ સ્થિરતા પ્રગટાવવા માટેનો પુરુષાર્થ થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપમાં એકાગ્રતા અખંડપણે પ્રવર્તે તે માટે તેમાં વિદનકર્તા એવા કષાય-નોકષાયરૂપ ચારિત્રમોહનીય કે જેનું બળ સમ્યગ્દર્શનના પ્રભાવે મંદ તો પડી જ ગયું છે, તેને પૂર્ણત: ક્ષીણ કરવું રહ્યું. જેને અંતરાત્મદશા પ્રગટે છે, તે પરમાત્મદશા પ્રગટાવવા માટે ચારિત્રમોહને ક્ષીણ કરવા ઉદ્યમી રહે છે. શ્રીમદ્ લખે છે – ‘દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્ત્વપ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે. તત્ત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે. ચારિત્રમોહ, ચૈતન્યના - જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે.૧ મોક્ષપ્રાપ્તિ અર્થે ચારિત્રમોહનીયનું સ્વરૂપ અને તેના નાશનો ઉપાય સમજવા યોગ્ય છે. ચારિત્ર = આત્મસ્થિરતા. ચારિત્રમોહ = રાગાદિ ભાવરૂપ વિકારી અવસ્થા. ચારિત્રમોહના નાશનો ઉપાય = વીતરાગતા. (સમ્મચારિત્ર) જીવનો સ્વભાવ અકષાયી જ્ઞાતા-દ્રષ્ટારૂપ છે. પોતાના શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા થવી તે ચારિત્ર છે. શુદ્ધ નિર્વિકારી સ્વભાવમાં સ્થિર રહેવું તે ચારિત્ર છે. જેટલા અંશે સ્વભાવમાં સ્થિરતા છે, તેટલા અંશે વીતરાગતા છે. જેટલા અંશે ચારિત્રમોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી અસ્થિરતા છે, તેટલા અંશે ચારિત્રમોહ છે. ચારિત્રમોહ એ આત્માના ચારિત્ર ગુણની વિકારી અવસ્થા છે. ચારિત્રમોહનીય કર્મમાં જોડાવાથી જીવ પોતાના અકષાયી, જ્ઞાતા-દ્રષ્ટારૂપ સહજ સ્વાભાવિક સ્વરૂપમાં સ્થિર ન રહેતાં રાગી-દ્વેષી થાય છે. આ તેની વિકારી અવસ્થા છે. ક્રોધાદિ કષાયરૂપ અને હાસ્યાદિ નોકષાયરૂપ પરિણમન તે ચારિત્ર ગુણની વિકૃતિ છે. આ જે મિથ્યા પ્રવર્તનરૂપ ચારિત્રમોહનાં રાગાદિ પરિણામ છે, તે તેના પ્રતિપક્ષી એવાં શુદ્ધ વીતરાગપરિણામથી હણાય છે. સ્વરૂપના અવલંબને જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં જેટલી સ્થિરતા રહે તેટલી વીતરાગતા પ્રગટે છે. જેમ જેમ વીતરાગ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૪૨ (પત્રાંક-૯૦૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy