SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૩ ૩૩૧ મોહનીયના ક્ષયનો અચૂક ઉપાય આ ગાથાના સંદર્ભમાં હવે સમજીએ. દર્શનમોહ જીવ અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તે પરિભ્રમણનું મૂળ કારણ મિથ્યાત્વ છે. સમ્યગ્દર્શન પ્રગટ થવાથી તેનો નાશ થાય છે અને તેથી પરિભ્રમણનો અંત આવે છે, અર્થાત્ મોક્ષ થાય છે; તેથી જ સમ્યગ્દર્શનને મોક્ષનું મૂળ કહ્યું છે. સમ્યગ્દર્શનના પ્રતિબંધક ભાવ એવા દર્શનમોહ(મિથ્યાત્વ)ને પુષ્ટ કરનારાં પરિણામો કેવાં હોય છે? તેમજ તે મિથ્યાત્વભાવમાં રહેલી શક્તિને તોડવારૂપ પરિણામો કેવાં હોય છે? તે આત્માર્થી જીવે અવશ્ય સમજવા યોગ્ય છે. દર્શન = આત્માની યથાતથ્ય પ્રતીતિ. દર્શનમોહ = સ્વરૂપની ભ્રાંતિ. (વિપરીત માન્યતા, મિથ્યાત્વ) દર્શનમોહના નાશનો ઉપાય = આત્મબોધ. (સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન) દર્શનમોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી જીવને મિથ્યાત્વભાવ થાય છે, જેથી જીવ તત્ત્વનું વિપરીત શ્રદ્ધાન કરે છે. તે વસ્તુસ્વરૂપની યથાર્થ પ્રતીતિ ન કરતાં અન્યથા પ્રતીતિ કરે છે. તે જેમ છે તેમ માનતો નથી, પણ જેમ નથી તેમ માને છે. અભિપ્રાયની આ ભૂલના કારણે તેને પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થ બુદ્ધિ; ધર્મને વિષે અધર્મબુદ્ધિ અને અધર્મને વિષે ધર્મબુદ્ધિ; કલ્યાણને વિષે અકલ્યાણબુદ્ધિ અને અકલ્યાણને વિષે કલ્યાણબુદ્ધિ થાય છે. વિપરીત અભિપ્રાયના કારણે તેને દેહમાં આત્મબુદ્ધિ, અનિત્યમાં નિત્યબુદ્ધિ અને પરમાં સુખબુદ્ધિ થાય છે. મિથ્યાત્વના કારણે જીવ સ્વ-પરનું ભેદજ્ઞાન કરી શકતો નથી. પોતે એક આત્મા તથા અનંતપુદ્ગલપરમાણમય શરીર - એ બન્નેના સંયોગરૂપ જે મનુષ્યાદિ પર્યાય નીપજે છે, એ પર્યાયને જ તે પોતાનું સ્વરૂપ માને છે. અમૂર્ત પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક, અનાદિ નિધાન દ્રવ્ય પોતે છે તથા મૂર્ત પુદ્ગલ દ્રવ્યોનો પિંડ, પ્રસિદ્ધ જ્ઞાનાદિથી રહિત એવું શરીર કે જે પોતાનાથી સર્વથા પર છે; તે છતાં એ બન્નેના સંયોગરૂપે ઉદ્ભવેલી અનેક પ્રકારની પર્યાયોમાં તે અહંબુદ્ધિ કરે છે. શરીરમાં વર્ણાદિનું તથા પરમાણુઓનું પલટાવું અનેક પ્રકારે થયા કરે છે. એ સર્વ પુદ્ગલની અવસ્થાઓ છે, પણ તે બધાને જીવ પોતાની અવસ્થાઓ માને છે. જ્ઞાન-દર્શનની તેની પ્રવૃત્તિઓ ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે, તેથી તે એમ માને છે કે ‘ત્વચા, જીભ, નાસિકા, નેત્ર, કાન અને મન એ બધાં મારાં અંગ છે, એ વડે હું જોઉં-જાણું છું.' આમ, તે સ્વભાવ-પરભાવનો વિવેક કરી શકતો નથી. જ્ઞાનાદિ પોતાના ગુણો અને રાગાદિ ઔપાધિક ભાવ વચ્ચેનો ભેદ તે જાણતો નથી. વળી, પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy