SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી - વિવેચન કોઈ ઘોર નિદ્રામાં સૂતું હોય અને તેને કૃતનિશ્ચયી થઈ ઉઠાડવામાં આવે તો જેવી રીતે તેની ઊંઘ ઊડી જાય છે, તેવી જ રીતે જીવે પોતાની ઊંઘ પણ કૃતનિશ્ચયી થઈને ઉડાડવાની છે. નિરંતર આ જ અભ્યાસ થાય કે “હું પર અને પર્યાયથી ભિન્ન એવો શુદ્ધ આત્મા છું', તો એક દિવસ અવશ્ય મોહનિદ્રા ટળશે. જાગીને જોતાં બધું જુદું અને પારકું લાગશે. કર્મકૃત વ્યક્તિત્વ અને કર્મકૃત ભાવો પૃથક અનુભવાશે. પર અને પર્યાયથી આવું જુદાપણાનું જ્ઞાન પ્રગટવું અને તે જ્ઞાનમાં ટકી રહેવું તે મોક્ષમાર્ગ છે. બહુ પુણ્યના પુંજથી મનુષ્યજન્મ મળ્યો છે, તો સર્વ સિદ્ધિનું મૂળ કારણ એવો જે તત્ત્વનિર્ણય છે તે અવશ્ય કરી લેવા યોગ્ય છે. સમ્યગ્દર્શન મોક્ષમાર્ગનું પ્રથમ પગથિયું છે અને સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો એકમાત્ર ઉપાય તત્ત્વનિર્ણય જ છે. તત્ત્વનિર્ણયમાં ઉપયોગ લગાવવાથી સમ્યકત્વાદિરૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ ઊપડે છે. તત્ત્વનિર્ણય કરીને જ જીવ સમ્યકત્વનો અધિકારી થાય છે. મુમુક્ષુ જીવે સૌ પ્રથમ તત્ત્વનિર્ણયની દિશામાં પ્રયત્ન કરવા યોગ્ય છે. તેણે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. તેણે હેય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરવી ઘટે છે, ત્યાગવા યોગ્ય એવાં મિથ્યાત્વ અને રાગાદિ તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શનાદિનાં સ્વરૂપ જેમ છે તેમ પિછાણવાં ઘટે છે. જે જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય તે અવશ્ય જાણવા ઘટે છે. વૈરાગ્યપૂર્વક આત્મરુચિ સહિત સ્વતત્ત્વનું ચિંતન આદિ કરવા યોગ્ય છે. સ્વતત્ત્વને ઓળખતાં તે પ્રત્યે પ્રેમ જાગે છે, રસ આવે છે, મહિમા જાગે છે, ઝંખના લાગે છે અને તે તરફ પુરુષાર્થ વળે છે. તેથી સૌથી પ્રથમ જ્ઞાની પુરુષોનાં વચનોના આધારે જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવો જોઈએ. જ્યાં સુધી પોતાની સત્તાનો નિર્ણય ન થાય ત્યાં સુધી ધર્મ કરવાનો પ્રયત્ન એ મુષ્ટિથી અંધકારનો નાશ કરવાના પ્રયત્ન જેવી મૂર્ખતા છે. આત્માનું યથાર્થ જ્ઞાન મેળવવા માટે મુમુક્ષુ જીવ સદગુરુનો યોગ સાધે છે. પોતાનું કલ્યાણ સાધવા માટે, જેમણે પોતાનું કલ્યાણ સાધ્યું છે એવા સદ્ગુરુના આશ્રયે તે આત્મસ્વરૂપની ઓળખાણ કરવા માંગે છે. આત્મસ્વરૂપનો નિર્ણય કરવા માટે તે સત્સમાગમ કરે છે. આત્માનો સ્વભાવ કેવો છે? તે કેવી રીતે પ્રગટ થાય? જ્ઞાન-દર્શનચારિત્ર આદિ શુદ્ધરૂપે કેવી રીતે પરિણમે? જે અનાદિથી વિભાવપર્યાય થઈ રહી છે તે પલટાઈને સ્વભાવરૂપ પર્યાય કેવી રીતે થાય? વગેરે સમજવા તે જ્ઞાનીનો સમાગમ કરે છે. તે સમજવા પાછળ એક આત્મપ્રાપ્તિનું જ ધ્યેય રાખે છે. સ્વરૂપની રુચિપૂર્વક સત્સમાગમે આત્મસ્વરૂપનું શ્રવણ કરતાં તેને સ્વરૂપનો એવો તો રંગ લાગે છે કે અહો! પરિપૂર્ણ આત્મવસ્તુ! આ જ ઉત્કૃષ્ટ મહિમાવંત છે!' આમ જાણીને તે પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મા તરફ વળે છે, તેનો જ અભ્યાસ કરે છે. ઉપયોગને સૂક્ષ્મ કરીને આત્મદ્રવ્યને પકડવાનો ઉદ્યમ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy