SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦૦ ૨૭૩ નથી, નુકસાન નથી' એવું અંતરમંથન કરીને નક્કી કરવું ઘટે છે. “પદ્રવ્યથી મને લાભ-નુકસાન છે' એવું જે જીવ માને છે તેની વૃત્તિ તેનાથી જુદી પડી નથી શકતી. એ માન્યતાને વશ થઈ તે પરમાં ફેરફાર કરવાની જ ચેષ્ટા કરે છે. કર્તા બુદ્ધિના મિથ્યા અભિમાનના કારણે તે કહે છે કે “અન્ય દ્રવ્યોનું મારી ઇચ્છાનુસાર પ્રવર્તન કરાવીશ.” પરંતુ એવું કદાપિ થઈ શકતું જ નથી. પરમાં કંઈ પણ કરવાની ઇચ્છા થાય એટલે દુઃખ જ મળે છે. જે જીવ જ્ઞાનીના બોધનો આશ્રય કરી પોતાના સ્વરૂપનો ભરોસો કરે છે અને તંબુદ્ધિનો લોપ કરે છે, તે જ્ઞાયકની ટેકરી ઉપર ચઢી સુરક્ષિત રહે છે. ગમે તેવા કર્મોદયમાં તે તણાઈ જતો નથી, પણ સાક્ષીભાવે રહી સુરક્ષિતતા અને સુખ પ્રાપ્ત કરે છે. જ્ઞાનાનંદસ્વભાવનો જ્ઞાતા બનતાં તેના અંતરમાં આનંદ ઊછળે છે. તેથી જીવે પરમાં પરિવર્તન લાવવાના વ્યર્થ પ્રયત્નો કરવાને બદલે દૃષ્ટિમાં પરિવર્તન લાવવું યોગ્ય છે. સુખ પાછળ દોડવાનો કે દુઃખથી દૂર ભાગવાનો પ્રયાસ કરવાને બદલે વિકારનો નાશ કરવો ઘટે છે. અજ્ઞાન અવસ્થામાં નિરંતર થતી રાગ-દ્વેષરૂપ પ્રતિક્રિયાઓથી જીવે વિવિધ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ માટે જાતજાતની ગંથિ બાંધી લીધી છે. તેણે આત્માને અંથિઓનું એક પોટલું (a bundle of knots) બનાવી દીધું છે. તત્ત્વશ્રદ્ધાન દ્વારા આ પોટલું ખોલવાનું છે, આત્માને નિર્ગથ બનાવવાનો છે. વસ્તુસ્વરૂપનું સમ્યક્ જ્ઞાન કરી જગત, દેહ તથા ચિત્તમાં થતાં પરિવર્તનોને ફરિયાદ કે ફેરફાર કર્યા વગર જોયા કરવાનાં છે. અવચેતન મનમાં રહેલી ભૂતકાળની સ્મૃતિઓના આધારે યાંત્રિકપણે ઊઠતી પ્રતિક્રિયાઓને આધીન થઈ વર્તવાનું નથી પણ વર્તમાન ક્ષણ પ્રત્યે સજાગ બનવાનું છે. ભૂતકાળની સ્મૃતિઓ અને ભવિષ્યની કામનાઓ જીવને વર્તમાન ક્ષણ પ્રતિ સજાગ રહેવા દેતી નથી. ભૂતકાળના સમગ્ર સંસ્કારોથી અને ભાવિની આકાંક્ષાઓથી મુક્ત થયા વિના વર્તમાન ક્ષણના માત્ર જ્ઞાતા-દ્રષ્ટા રહેવું શક્ય નથી. ભૂત-ભવિષ્યની સુખદ કે દુઃખદ આશંકાઓ અને આશાઓ જીવને વર્તમાનથી દૂર લઈ જાય છે. વર્તમાનથી વિમુખ થયેલું આવું સારહીન જીવન જોશોથી છવાઈ જાય છે અને તે ક્લેશ જ આકુળતા, વ્યથા અને પીડાને જન્મ આપે છે. જેમ જેમ જીવ વર્તમાન ક્ષણનું યથાર્થ દર્શન કરવા લાગે છે, તેમ તેમ તેને ક્લેશોથી સ્વાભાવિક રીતે મુક્તિ મળવા લાગે છે. સઘળી સાધના વર્તમાન ક્ષણની જાગૃતિ માટે જ કરવાની છે. પ્રત્યેક ક્ષણ બીજ વાવવાની ક્ષણ છે. કેવું બીજ રોપવું એ જીવે નક્કી કરવાનું છે. વર્તમાન ક્ષણે ક્યો સંસ્કાર નાખવો તે જીવના પોતાના હાથની વાત છે. જો રાગ અને દ્વેષનું બીજ વાવશે તો પોતા માટે દુ:ખની પરંપરા ઉત્પન્ન કરશે અને જાગૃત રહેશે તો મુક્તિપંથે ગમન કરશે. જે વ્યતીત થઈ ગયું છે તેના ઉપર પોતાનો કોઈ અધિકાર નથી, પરંતુ જે વર્તમાન ક્ષણે તે જાગૃત રહે છે, તે વર્તમાન ક્ષણનો તે માલિક બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy