SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ઘટનાઓ વગેરેના આઘાત-પ્રત્યાઘાત ચિત્તમાં ઘેરા નથી પડતા; પરંતુ જીવ જ્યારે દેહ અને કર્મકૃત વ્યક્તિત્વ સાથે ઐક્ય અનુભવે છે ત્યારે ચિત્તમાં ભય, ચિંતા, દીનતા, મદ, તૃષ્ણા રમતાં હોય છે. સ્વરૂપની વિસ્મૃતિ થતાં ચિત્તમાં મોહજનિત વૃત્તિઓ ઊમટી આવે છે અને અહંકાર-મમકારનું સામ્રાજ્ય વ્યાપે છે. જીવ સ્વરૂપને વીસરી કર્મકૃત વ્યક્તિત્વ ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. જે રૂપાકૃતિ ઉપર તે મોહ પામે છે તે તો પુદ્ગલનો જ એક વિકાર છે, નાશવંત છે. જે ક્ષણભંગુર છે તેના ઉપરથી દૃષ્ટિ ખસેડી લઈ, શુદ્ધ આત્મસ્વરૂપ કે જે શાશ્વત તત્ત્વ છે તેનું અનુસંધાન રાખે, અર્થાત્ શુદ્ધ જ્ઞાન અને પૂર્ણ આનંદ એ જ મારું સાચું સ્વરૂપ છે અને અત્યારે પ્રાપ્ત થયેલું સમગ્ર વ્યક્તિત્વ ભવનાટકના મંચ ઉપર કર્મના નિર્દેશન મુજબનો ક્ષણવાર પૂરતો એક અભિનયમાત્ર છે - એમ જો શુદ્ધ સ્વરૂપની જાગૃતિ રાખે તો જ ચિત્તમાં સમત્વનું અવતરણ થઈ શકે. પોતાના શુદ્ધ સ્વરૂપની જાગૃતિ જેટલી દઢ, તેટલો ક્લેશ ઓછો થાય છે. પોતાના ચૈતન્યસ્વરૂપના આશ્રયે જીવ સર્વ દુઃખનો અભાવ કરી શકે છે. મનુષ્યાદિ શરીરનો સંબંધ તથા ક્રોધાદિ વિકારોની ઊપજ તો માત્ર ચૈતન્યતત્ત્વની વૈભાવિક અવસ્થા છે. તેનાથી ભિન્ન એવા પોતાના અસલી રૂપને ઓળખે તો જીવ દુઃખી થાય નહીં. પરંતુ જીવે પોતાને ઓળખ્યો નથી અને કર્મકૃત અવસ્થાઓને પોતાની અવસ્થા માની હોવાથી તે દુઃખી થાય છે. આમ, સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન જ છે. જીવ પરથી વિરક્ત થઈ સ્વ તરફ વળે તો તે આત્મજ્ઞાન પામે, નિજસ્વરૂપમાં સ્થિત થાય. કર્મકૃત ભાવમાં વાસ કરવો તે અજ્ઞાનભાવ છે, કર્મભાવ છે; અને જ્ઞાનદર્શન-ચારિત્રસ્વરૂપ આત્મામાં વાસ કરવો તે જ્ઞાનભાવ છે, મોક્ષભાવ છે. જેને નિજ ઘર મળી ગયું છે, અર્થાત્ ઉપયોગ ત્રિકાળી જ્ઞાયકસ્વભાવમાં સ્થિર થયો છે, તેને અપાર શાંતિ વર્તે છે, તેને દુ:ખનો કોઈ અનુભવ થતો નથી. હોળીના દિવસે ઘરની બહાર નીકળે તો રંગાઈ જાય, પણ જો તે ઘરની બહાર જ ન નીકળે તો કેવી રીતે રંગાય? તેમ જો ઉપયોગ નિજજ્ઞાયકઘરમાં રહે તો દુ:ખથી મુક્ત થઈ અલૌકિક સુખ ભોગવે છે. પોતાના સ્વભાવમાં ઠરે તો અપાર શાંતિ અનુભવે છે. જ્યારે આત્મા જડમાં સુખ માની તે લેવા ઘરની બહાર નીકળે છે ત્યારે મન “આ સારું, આ નઠારું, આ મારું, આ પારકું, આ જોઈએ, આ ન જોઈએ' ઇત્યાદિ અનેક રાગ-દ્વેષવાળા વિકલ્પોની જાળ ઊભી કરીને તેને એ જાળમાં ફસાવે છે. જ્ઞાતા-દ્રષ્ટાપણે રહેવારૂપ પોતાનો ધર્મ ભૂલી, કર્તા-ભોક્તારૂપે બનેલો આત્મા વધારે ને વધારે ગૂંચવાતો જાય ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૨ 'जीवो चरित्तदंसणणाणट्ठिउ तं हि ससमयं जाण । पुग्गलकम्मपदेसट्रियं च तं जाण परसमयं ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy