SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૯૭ મોક્ષનો ઉપાય નથી' એ શંકાના સમર્થનમાં ગાથા ૯૨ થી ૯૪માં શિષ્ય ભૂમિકા કે ત્રણ દલીલો રજૂ કરે છે. આવા વિકલ્પોના કારણે તે મોક્ષના ઉપાય વિષે નિઃશંક થઈ શકતો નથી. જીવાદિનું યથાર્થ સ્વરૂપ સમજાયું હોવા છતાં જો મોક્ષપ્રાપ્તિનો યથાર્થ ઉપાય ન મળે તો આ સર્વ જાણવું નિરર્થક છે એમ તે નમ ભાવે ગાથા ૯૫માં જણાવે છે. ગાથા ૯૬માં તે શ્રીગુરુને નિવેદન કરે છે કે “આપે આપેલા પાંચે પદનાં સમાધાનથી મને આત્માની સર્વાગે યથાર્થ પ્રતીતિ થઈ છે. જો આપ મોક્ષનો ઉપાય જણાવશો તો મારા ઉપર મહદ્ ઉપકાર થશે અને એ મારો મહદ્ ભાગ્યોદય હશે.' શ્રીગુરુ દ્વારા થયેલ પાંચે પદનાં સમાધાનથી શિષ્યમાં મોક્ષનો ઉપાય જાણવાની તાલાવેલી જાગી છે - માત્ર સમજવાની જ નહીં, પણ યથાર્થપણે સમજી તેને આચરણમાં મૂકવાની પણ! તીવ્ર મોક્ષાભિલાષા સહિત તે શ્રીગુરુ સમક્ષ હાજર થયો છે. શ્રીગુરુ પણ શિષ્યની યોગ્ય ભાવનાનો એવો જ યોગ્ય પ્રતિસાદ આપે છે. મોક્ષનો ઉપાય જાણ્યા વગરનું સર્વ જ્ઞાન નિરર્થક ઠરતું હોવાથી છવું પદ અત્યંત મહત્ત્વનું છે, જેથી તે અંગેના સમાધાનનો વિસ્તાર ૨૨ ગાથા સુધી થયો છે. શિષ્યની દલીલોનું ક્રમસર સમાધાન આપવાનું શરૂ કરતાં પહેલાં તેને હૈયાધારણ આપતાં શ્રીગુરુ કહે છે ગાથા | અર્થી “પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત.... (૭) પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે “થશે' અને “સહજ' એ બે શબ્દ સદ્દગુરુએ કહ્યા છે તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષોપાય સમજાવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષોપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યાં છે; એમ સદ્દગુરુનાં વચનનો આશય છે. (૭) - શિષ્યની વિનય ભરેલી વિનંતીનો સ્વીકાર કરી, શ્રીગુરુ આશીર્વાદ આપતાં ભાવાર્થી ૧] કહે છે કે “જેમ આત્માનાં પાંચ પદનાં સમાધાનથી પાંચ પદ સંબંધી તારી સર્વ શંકા નિવૃત્ત થઈ અને તે પાંચે પદ સાચાં છે, ન્યાયયુક્ત છે અને સંદેહરહિત છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy