SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯૪ ૧૬૯ ભાવ ન હોઈ શકે, કારણ કે જેના ભાવ દૃઢ હોય તે જ ઉત્કૃષ્ટ અધર્મ કે ધર્મ ઉપજાવી શકે છે. સ્વભાવથી શિથિલપરિણામી હોવાથી જેમ પાપનો પ્રકર્ષ સ્ત્રીમાં નથી થતો, તેમ મોક્ષનાં કારણોનો પરમ પ્રકર્ષ પણ સ્ત્રીમાં નથી થતો. શ્વેતાંબરોનું કહેવું છે કે સ્ત્રીમાં માયાપ્રકર્ષ છે, તેથી સ્ત્રીમાં પાપનો પ્રકર્ષ છે. દિગંબરોને આ વાત માન્ય નથી. તેઓ કહે છે કે સ્ત્રીમાં માયાની બહુલતા છે, પ્રચુરતા છે; એટલે કે માયા અધિક છે, પણ માયાનો પ્રકર્ષ સ્ત્રીમાં નથી હોતો, પુરુષમાં જ તે હોય છે. આમ, પાપપ્રકર્ષ સ્ત્રીમાં ન હોવાથી રત્નત્રયરૂપ અવિકલ કારણોનો પ્રકર્ષ પણ હોતો નથી, તેથી જેમ સાતમી નરકમાં સ્ત્રીની ગતિ નથી, તેમ સ્ત્રીને મોક્ષપ્રાપ્તિને યોગ્ય ઉત્કૃષ્ટ પરિણામ પણ સંભવતાં નથી. જ્ઞાનનો પ્રકર્ષ કે જે મોક્ષપ્રાપ્તિમાં કારણભૂત છે તે સ્ત્રીઓમાં નથી. વળી, પ્રત્યેક માસમાં રક્તસ્રાવ વિદ્યમાન હોવાની શંકા રહેવાથી સ્ત્રીને ધ્યાન સંભવતું નથી, તેથી સ્ત્રીની મુક્તિ સંભવિત નથી.' કયા વેષમાં મોક્ષ' (મુનિપણા વિષે મતાંતર) દિગંબરોની એવી માન્યતા છે કે વસ્ત્રગ્રહણ કરવાની ઇચ્છા સંયમમાં બાધારૂપ હોવાથી મુનિને વસ્ત્રનો પરિગ્રહ હોય નહીં. તેઓ નગ્નતાને મોક્ષનો હેતુ કહે છે. આ વિષે શ્વેતાંબરોની એવી માન્યતા છે કે મુનિ વસ્ત્રાદિ ગ્રહણ કરતા હોવા છતાં તેઓ સગ્રંથ નથી, કારણ કે મુનિ વસ્ત્રાદિને માત્ર શરીરની રક્ષા માટે ગ્રહણ કરે છે. વસ્ત્રાદિમાં તેમને લેશમાત્ર મમત્વ કે મૂચ્છ નહીં હોવાથી પરમાર્થે તેઓ વસ્ત્રાદિરહિત જ કહેવાય છે. પોતાના મતના સમર્થન અર્થે દિગંબર તેમજ શ્વેતાંબર અને તર્કયુક્ત દલીલો રજૂ કરે છે. અહીં વિચારણા અર્થે પાંચ પાંચ દલીલો આપવામાં આવી છે. શ્વેતાંબરમતના વિભાગમાં દિગંબરોની માન્યતા આપી શ્વેતાંબરો તેને કઈ રીતે અયથાર્થ ઘટાવે છે તે દર્શાવ્યું છે. તે જ પ્રમાણે દિગંબરમતના વિભાગમાં શ્વેતાંબરોની માન્યતા આપી દિગંબરો તેને કઈ રીતે અયથાર્થ ઘટાવે છે તે દર્શાવ્યું છે. શ્વેતાંબરમત (૧) દિગંબરમતની માન્યતા મુજબ જેવી દશામાં બાળકનો જન્મ થયો હોય એવી નૈસર્ગિક દશા હોય, અર્થાત્ નગ્ન દશા હોય તો જ નિર્ગથ મુનિપણું કહેવાય છે. વસ્ત્રની વિદ્યમાનતા કેવળજ્ઞાનની ઉત્પત્તિને બાધ કરનાર છે. જ્યાં સુધી વસ્ત્રરૂપ ઉપાધિ હોય ત્યાં સુધી અધ્યાત્મની સર્વથા સિદ્ધિ ન થાય. આનો ઉત્તર આપતાં શ્વેતાંબરો કહે છે કે – જો વસ્ત્રરૂપ ઉપાધિ કેવળજ્ઞાનને આવરણ કરનાર છે, તો જેણે વસ્ત્ર પહેર્યા ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સૂત્રપાહુડ', ગાથા ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy