SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૯૧ ૧૦૧ ગતિસહાયક ધર્માસ્તિકાયદ્રવ્ય નથી. લોકના અગ્રભાગથી આગળ ગતિ કરવામાં મદદગાર એવું ધર્માસ્તિકાયદ્રવ્ય ન હોવાથી ઊર્ધ્વગમન કરતો આત્મા લોકના અગ્રભાગે પહોંચી અટકી જાય છે અને ત્યાંથી આગળ ગમન કરી શકતો નથી. જેમ જળમાં ડૂબેલા તૂંબડા ઉપરથી માટીનો લેપ ધોવાઈ જતાં તૂબડું જળની સપાટી ઉપર આવી જાય છે, પરંતુ ઉપગ્રાહક જળના અભાવે જળના ઉપરના ભાગથી અધિક ઉપર તે જઈ શકતું નથી; તેમ કર્મથી મુક્ત થતાં આત્મા લોકાગ્ર સુધી ગમન કરે છે અને અલોકમાં ગતિસહાયક ધર્માસ્તિકાયદ્રવ્યનો અભાવ હોવાથી લોકની બહાર ગતિ થઈ શકતી નથી, તેથી જ તે લોકાંતે આવીને અટકે છે. મુક્તાત્મા લોકાએ સિદ્ધપદમાં બિરાજિત થાય છે. જો અલોકમાં પણ ધર્માસ્તિકાયદ્રવ્ય હોત તો તો જીવ અલોકમાં પણ ગમન કરી શકત. પરંતુ ગતિસહાયક દ્રવ્ય અલોકમાં નથી, માટે જીવ અલોકમાં ગતિ કરતો નથી. અલોકાકાશમાં સિદ્ધાત્માની ગતિ થતી નથી. લોકાકાશ ઓળંગીને તેઓ અલોકાકાશમાં જઈ શકતા નથી, પરંતુ તેઓ લોકના અગ્રભાગ ઉપર પ્રતિષ્ઠિત થાય છે. સિદ્ધ ભગવંત લોકના અગ્રભાગ સુધી જઈને ત્યાં રોકાઈ જાય છે. સિદ્ધ ગતિને પામતો આત્મા મનુષ્યશરીરનો ત્યાગ કરે છે અને લોકના અગ્રભાગ ઉપર જઈને સ્થિત થાય છે. અહીં બીજા અનેક પ્રશ્નો પણ ઊઠે છે. સર્વ કર્મ ક્ષય થતાં આત્માની ગતિ ઊર્ધ્વ જ શા માટે થાય છે? તિતિ કે અધોગતિ શા માટે થતી નથી? આત્માને ગતિ કરવામાં યોગ સહાયક છે. યોગ વિના આત્મા ગતિ કરી શકતો નથી. સર્વ કર્મનો ક્ષય થતાં આત્મા યોગરહિત હોવાથી તે કઈ રીતે ગતિ કરી શકે? કર્મરહિત થયેલા જીવની ઊર્ધ્વગતિ જ શા માટે હોય? ઊર્ધ્વગમન જ શા માટે થાય છે એ પ્રશ્નનો ઉત્તર એમ છે કે તેમ થવામાં ચાર હેતુ છે. એ ચાર કારણો આ પ્રમાણે છે (૧) પૂર્વપ્રયોગ, (૨) સંગનો અભાવ, (૩) બંધવિચ્છેદ અને (૪) તથાગતિપરિણામ. સર્વ કર્મ ક્ષય થતાં મુક્ત જીવની ઊર્ધ્વગતિ થવાનાં આ કારણો દર્શાવતાં આચાર્યશ્રી ઉમાસ્વાતિજી ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર’માં કહે છે કે પૂર્વપ્રયોગ, અસંગ, બંધવિચ્છેદ અને તથાગતિપરિણામ એ ચાર હેતુઓથી આત્મા સર્વ કર્મ ક્ષય થતાં ઊર્ધ્વગતિ કરે છે.૧ જીવની ઊર્ધ્વગતિના સમર્થનમાં ઉપરોક્ત પૂર્વપ્રયોગાદિ ચાર કારણનાં દૃષ્ટાંત શાસ્ત્રમાં નીચે પ્રમાણે આપ્યાં છે Jain Education International - ૧- જુઓ : આચાર્યશ્રી ઉમાસ્વાતિજીપ્રણીત, ‘શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર', અધ્યાય ૧૦, સૂત્ર ૬ ‘પૂર્વપ્રયોગાવું, ગસદ્ધાર્, વ—વિચ્છેદ્રાત્, તથા ગતિપૂરિામા— તવૃત્તિઃ ।।' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001136
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 3
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages818
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy