SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮૫ ७४८ કરનારો સિદ્ધ થાય છે, ભલેને તે બીજા પાસે પાપ કરાવતો હોય. ઈશ્વર સારું કર્મ કરવાવાળાને સારું ફળ આપે છે અને ખરાબ કર્મ કરવાવાળાને ખરાબ ફળ આપે છે, તો આની પાછળ ઈશ્વરનું શું પ્રયોજન છે? ઈશ્વર કર્મનું ફળ આપવા માટે પ્રેરાય છે તે કયા ફળને ઉદ્દેશીને? જો તે કૃતકૃત્ય હોવાથી ફળના ઉદ્દેશ વિના જ પ્રવૃત્તિ કરતો હોય તો તેની પ્રેક્ષાપૂર્વકારિતાનો વિઘાત થાય છે. પ્રેક્ષાપૂર્વકારી આત્માઓ પ્રયોજન વિના કોઈ પણ પ્રવૃત્તિ કરતા નથી. જો ઈશ્વર ફળને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરતો હોય તો તે કેવા ફળને ઉદ્દેશીને તેમ કરે છે? યતિ, વણિક અને કામી જેમ ધર્મ, અર્થ અને કામને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે છે; તેમ ઈશ્વર એ ત્રણમાંથી કોને ઉદ્દેશીને પ્રવૃત્તિ કરે છે? ઈશ્વર કૃતકૃત્ય હોવાથી એ ત્રણમાંથી કોઈ પણ ઉદ્દેશ તેને ઘટતો નથી, તેથી ઈશ્વરકર્તુત્વવાદીઓ ઈશ્વરનો એવો સ્વભાવ માને છે કે તે ફળનિરપેક્ષપણે જ પોતાના સ્વભાવથી કર્મનું ફળ આપવા માટે પ્રેરણા કરે છે. આ રીતે ઈશ્વરકર્તુત્વવાદીઓ નિષ્ફળ પ્રવૃત્તિ કરવાનો કે અકૃતકૃત્યપણાનો દોષ ટાળવા પ્રયાસ કરે છે, પરંતુ ઈશ્વરનો તેવો સ્વભાવ માનવામાં તેઓ પાસે કોઈ પ્રમાણ નથી. ઈશ્વરકર્તુત્વવાદીઓની સામે આવા અનેક પ્રશ્નો છે કે જેના જવાબ આપવા તેઓ અસમર્થ છે. ઈશ્વરને ફળદાતા માનવામાં ઘણા દોષો આવે છે. કર્મનાં ફળ આપવા માટે ઈશ્વરને વચ્ચે લાવવાથી તેનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે. ઈશ્વરને પણ રાગી-દ્વેષી, પક્ષપાતી ઇત્યાદિ માનવાનો વખત આવે છે. ઈશ્વરને કર્મફળદાતા માનવાથી ઈશ્વરનું ઈશ્વરત્વ ટકતું નથી અને ફળ આપવા માટે કર્મપુદ્ગલ સ્વતંત્ર હોવાથી ફળ આપવામાં ઈશ્વરની જરૂર નથી. ચાર્વાક દર્શન સિવાય સર્વ દર્શનો ઈશ્વર, ભગવાન આદિ શબ્દો દ્વારા ઈશ્વર નામના કોઈક વ્યક્તિવિશેષને દર્શાવે છે. જો કે શબ્દો સરખા વપરાય છે, પણ તેનો અર્થ દરેક દર્શન અનુસાર અલગ અલગ હોય છે. ઈશ્વરકર્તુત્વવાદી જ્યારે એ શબ્દો બોલે છે ત્યારે તેની આંખ સામે જગતકર્તા, જગતનિયંતા, કર્મફળદાતા એવો ઈશ્વર ખડો થાય છે; પરંતુ જૈન દર્શનનો અનુયાયી જ્યારે ઈશ્વર શબ્દ બોલે છે ત્યારે તેનો અર્થ થાય છે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના મહિમાને જાણી-અનુભવી જેઓ તેમાં જ પૂર્ણપણે સ્થિર . થઈ ગયા છે તે. ઈશ્વર જગતના બનાવનાર નથી પણ જગતના બતાવનાર છે, અર્થાત્ સ્વ-પરના સ્વરૂપનું યથાર્થ ભાન કરાવી સ્વમાં સ્થિત થવાની પ્રેરણા આપનાર છે. જૈન દર્શનમાં કર્મફળદાતા એવા ઈશ્વરને સ્થાન નથી. જૈન પરંપરામાં ફળ આપવા માટે, ઈશ્વરના કર્તુત્વનું સ્થાન કર્મ લે છે. જૈનમત પ્રમાણે તો કૃતકર્મનો પરિપાક થતાં તે પોતે જ સ્વસામર્થ્યથી ફળ આપે છે અને સમગ્ર જીવવૈચિત્ય કર્મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy