SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૮ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પ્રકારે બે અનંત વચ્ચે પણ ફરક હોય છે; એટલે કે એક અનંત કરતાં બીજું અનંત નાનું અથવા કમજોર હોઈ શકે છે. પહેલાં આત્મા કરતાં કર્મનું જોર વિશેષ હોય છે, પરંતુ ધીરે ધીરે આત્મા બળવાન થતો જાય છે અને આખરે તે કર્મસત્તાને સર્વથા નષ્ટ કરી નાખે છે. દરેક જીવની અજ્ઞાનાવસ્થામાં કર્મસત્તા જીવ કરતાં વિશેષ બળવાન હોય છે અને તેથી તે જીવને શુભાશુભ ફળ પણ ભોગવાવે છે. ફળ આપવાની અદ્ભુત શક્તિ બંધાયેલાં કર્મપુદ્ગલમાં સ્વભાવથી જ રહી છે. જીવના રાગાદિ ભાવકર્મનું નિમિત્ત પામીને કર્મરૂપે પરિણમવા યોગ્ય પુદ્ગલપરમાણુ દ્રવ્યકર્મરૂપે પરિણમે છે અને જીવના નિમિત્તથી તે જડ કર્મમાં ફળ આપવાની શક્તિ પ્રગટે છે. જ્યાં સુધી એ પુદ્ગલો કર્મરૂપે પરિણમ્યાં ન હોય ત્યાં સુધી તેનામાં સુખદુઃખાદિ ફળ આપવાની શક્તિ હોતી નથી. જીવ સાથે તેનો કર્મરૂપ સંબંધ થાય છે ત્યારે તેનામાં કેવા રૂપે, કેટલું, ક્યાં સુધી અને કેવી તીવ્રતાથી ફળ આપવું - એવી યોગ્યતાઓ જીવના નિમિત્તથી પ્રગટે છે. જડ કર્મને કશું જ જ્ઞાન હોતું નથી, પરંતુ કર્મમાં ફળ આપવાની યોગ્યતા આત્માના નિમિત્ત વડે પ્રગટે છે. આત્માના કષાયભાવના નિમિત્ત વડે તે શક્તિ જડ કર્મપરમાણુમાં પ્રગટે છે. રાગ-દ્વેષ એ આત્મામાંથી પ્રગટેલું એક સામર્થ્યવિશેષ છે અને તેના નિમિત્તે યથાયોગ્ય ફળ આપવા કર્મપુદ્ગલ સમર્થ થાય છે. જ્યાં સુધી કર્મપુદ્ગલો ચેતનની સાથેના સંબંધમાં આવતાં નથી ત્યાં સુધી જીવને સુખ કે દુઃખ આપવાની તાકાત તેનામાં હોતી નથી. જ્યાં સુધી દારૂ બાટલીમાં જ હોય છે ત્યાં સુધી તેનાથી નશો થતો નથી, શરીરમાં ગયા પછી જ નશો થાય છે તેમ. વળી, નશો પણ તુરંત ન ચડતાં કાળાંતરે ચડે છે. જેમ દારૂમાં નશાની યોગ્યતા હોવા છતાં શરીરમાં જતાંની સાથે તરત જ તે નશારૂપ ફળ આપતું નથી, પણ કાળાંતરે આપે છે; તેમ કર્મપુદ્ગલો પણ આત્મા સાથે સંબંધમાં આવ્યાં પછી તરત જ પોતાની સુખ-દુ:ખ આપવાની શક્તિ બતાવતાં નથી, પરંતુ અમુક સમય પછી તેમ કરે છે. પ્રત્યેક વસ્તુ ફળવા માટે જેમ કાળની અપેક્ષા રાખે છે, તેમ કર્મ પણ ફળ આપવા માટે યોગ્ય કાળની અપેક્ષા રાખે છે. શુભાશુભ ક્રિયાથી બંધાયેલ કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવની યોગ્ય સામગ્રી મળે ત્યારે ફળે છે. આત્માના યોગ અને કષાયભાવથી આકર્ષાયેલો દ્રવ્યકર્મનો સમૂહ તેના ઉદયકાળ પર્યત - ફલાભિમુખ થયા પહેલાં, એટલે કે અનુદય અવસ્થામાં આત્માની સાથે એકલે ત્રાવગાહીપણે રહે છે. તે અનુદય અવસ્થામાં કર્મ સત્તામાં રહે છે, અર્થાત્ તેટલો કાળ તે ફળ આપવાને તત્પર હોતાં નથી, તેની શક્તિ સ્થિરપણે માત્ર ફળ આપવાના સમયની રાહ જોતી હોય છે. આત્મા સાથે સંબદ્ધ દરેક કર્માણને ‘ટાઈમબોંબ' સાથે સરખાવી શકાય. જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy