SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૮૨ ૬૭૭ ભાવકર્મ છે. આત્માને પોતાના સ્વરૂપની ભ્રાંતિ તે ભાવકર્મ છે અને તેથી તે ચેતનરૂપ છે. તે આત્માની જ પરિણતિ છે, માટે ચેતનરૂપ છે. આ ચેતન ભાવકર્મને અનુસરીને જીવનું વીર્ય સ્કુરાયમાન થાય છે. જીવનું વીર્ય સ્ફુરાયમાન થતાં મન-વચન-કાયાના યોગ ચંચળ થાય છે અને તેથી આત્મપ્રદેશો કંપાયમાન થતાં જીવ કાર્મણ વર્ગણાનું ગ્રહણ કરે છે. જીવ જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ યોગ્ય જડ પુદ્ગલોને ગ્રહણ કરે છે. કર્મનો આત્મા સાથે સંયોગ થાય છે. જીવની અશુદ્ધતાના નિમિત્તે કર્મબંધ થાય છે. આ પ્રમાણે શ્રીગુરુએ જીવની સાથે કર્મ શી રીતે મળે છે તેનું સંક્ષિપ્ત પણ સચોટ સમાધાન કર્યું છે. તેમણે આ ગાથામાં કર્મબંધની પ્રક્રિયાનું સુવ્યવસ્થિત વર્ણન કર્યું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે અજ્ઞાન; ‘ભાવકર્મ નિજ કલ્પના, ઉપજાવે ઇષ્ટાનિષ્ટ પદાર્થનું, રાગદ્વેષથી ભાન. ભાવ વિશેષે જીવનો, માટે ચેતનરૂપ; વિચિત્ર અતિશય તેહથી, પાડે ભવભય કૂપ. Jain Education International પોતાના અજ્ઞાનથી, પડે જીવવીર્યની અવળી સ્ફુરણા, ચાલે કર્મોદય થકી, ઊલટું દોડી મૃગતૃષ્ણા વિષે, ગ્રહણ * * * અનાદિ કાળ; એવી ચાલ. સમજે કરે ૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૪ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૩૨૫-૩૨૮) રૂપ; જડધૂપ.’૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy