SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૭૭ ૫૯૩ ફળદાયી છે, સહેતુક છે, લાભદાયી છે. વીતરાગી ભગવાનનું સ્મરણ કરનાર જીવ સ્વયં વીતરાગતાને પામે છે. શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ, મુક્ત પરમાત્માની યથાર્થ ભક્તિ જીવને તેમના જેવા પરમાત્મા બનાવે છે, માટે તેઓ જીવના પરમ ઉપાય છે. સિદ્ધ ભગવંતના અવલંબનથી જીવ અવશ્ય લાભ કરી શકે છે. જો તે સિદ્ધના સ્વરૂપનું ધ્યાન કરીને પોતાના ઢંકાઈ ગયેલા સિદ્ધસ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે તો એના ફળરૂપે પોતે સિદ્ધ બને છે. આમ, સિદ્ધ પરમાત્મા જીવના વિકાસને માટે નિમિત્તકારણ બની શકે છે. તેમણે જેવી રીતે કર્મને દૂર કર્યા તેવી રીતે જીવનાં પોતાનાં કર્મો દૂર કરવાનો ઉદ્યમ કરવામાં, તેમના બતાવેલા માર્ગે ચાલવામાં તેમનું આલંબન ઉત્કૃષ્ટ નિમિત્ત છે. પરમાત્માનું આલંબન લેનાર સ્વયં પરમાત્મા બની જતો હોવાથી તેમની આરાધના – ઉપાસના કરવી ખૂબ ઉપકારી છે, તેથી જ પરમાત્માનાં ગુણગાન, પૂજા, ભક્તિ, ધ્યાન આદિને જૈન દર્શનમાં અગત્યનું સ્થાન મળ્યું છે.' આ રીતે જૈન માન્યતા પ્રમાણે ઈશ્વર જગતકર્તા કે કર્મપ્રેરક નથી છતાં ઉપાસ્ય છે. ઈશ્વરને આદર્શરૂપે સામે રાખી પોતામાં રહેલી તેમના જેવી શક્તિ પૂર્ણપણે પ્રગટાવવી એ જૈન ઉપાસનાનું ધ્યેય છે. ઈશ્વરની પૂજા, ભક્તિ, જાપ, આરાધના વગેરે પાછળ આ જ એકમાત્ર લક્ષ છે. જૈન દર્શનમાં ઈશ્વરને લીલા કરનાર નહીં પણ વીતરાગી માન્યા છે. એમાં ઈશ્વરના સ્વરૂપ અંગે કોઈ વિટંબણા નથી. ઈશ્વરનું શુદ્ધ, પૂર્ણ સ્વરૂપ પણ જળવાઈ રહે છે અને જીવ તેમની ભક્તિ, પૂજા પણ કરી શકે છે. ઈશ્વરની આ જ શુદ્ધ, સાચી આરાધના છે - ઉપાસના છે, તેથી જૈનો નાસ્તિક તો નથી જ ઠરતા, બલ્ક પરમ આસ્તિક સિદ્ધ થાય છે. જે જીવ આ રીતે યથાર્થપણે ઈશ્વરનું અવલંબન ગ્રહણ કરે છે, તે જીવ પોતાનું બહિરાત્મપણું ટાળી, અંતરાત્મપણું પ્રાપ્ત કરી, અંતે પરમાત્મદશા પ્રગટ કરે છે. એક જ જીવ બહિરાત્મદશાની, અંતરાત્મદશાની અને છેવટે પરમાત્મદશાની પ્રાપ્તિ કરી શકે છે. આમાં જીવનો પોતાનો જ પુરુષાર્થ કારણરૂપ બને છે. જે પોતાની ઇચ્છાથી જીવનાં રૂપાંતરો કરતું હોય એવું ઈશ્વર જેવું કોઈ એક સ્વતંત્ર તત્ત્વ અસ્તિત્વ ધરાવતું નથી. આમ, જગતનો અથવા જીવોનાં કર્મનો કર્તા ઈશ્વર હોઈ શકે નહીં, કારણ કે શુદ્ધ આત્મસ્વભાવ જેમને પ્રગટ્યો છે તે ઈશ્વર છે. પોતાના શુદ્ધ આત્મસ્વભાવનું આવિર્ભાવપણું જેમને પ્રાપ્ત થયું છે તે ઈશ્વર છે. આત્માની ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મરૂપ અશુદ્ધિ પૂર્ણપણે દૂર કરી જે શુદ્ધ થયા છે, સિદ્ધ થયા છે તે ઈશ્વર છે. ઈશ્વર શુદ્ધ ૧- જુઓ : આચાર્યશ્રી પદ્મનંદિસ્વામીકૃત, ‘પદ્મનંદિ પંચવિંશતિઃ', અધિકાર ૬, શ્લોક ૧૪ 'प्रपश्यन्ति जिनं भक्त्या पूजयन्ति स्तुवन्ति ये । ते च दृश्याश्च पूज्याश्च स्तुत्याश्च भुवनत्रये ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001135
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 2
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy