SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૮ ૫૨૩ અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું સ્વતઃ પાલન થાય છે. સમસ્ત પરભાવથી વિરામ પામી સાધક જ્યારે શુદ્ધ સ્વરૂપમાં સ્થિતિ કરે છે ત્યારે રાગાદિ વિભાવ વડે આત્માના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનરૂપ ભાવપ્રાણની - શુદ્ધ આત્મપરિણામની હિંસા થતી નથી, એક સ્વાત્મા સિવાય કોઈ પણ પરવસ્તુ કે પરભાવને સ્વ કહેવાનાં પરિણામ થતાં નથી, વળી, નિજ શુદ્ધ આત્મા સિવાય કોઈ પણ પરવસ્તુ કે પરભાવનું ગ્રહણ થતું નથી, અનાત્મરૂપ પરવસ્તુમાં કે પરભાવમાં રમણતા થતી નથી અને શુદ્ધાત્મા સિવાયની પરમાણુમાત્ર જેટલી પરવસ્તુ કે મિથ્યાત્વ, કષાય, નોકષાયરૂપ પરભાવ પ્રત્યે પણ મૂર્છા-મમત્વ થતાં નથી. તે સ્થિતિનું નામ જ પરમ અહિંસા છે, તેનું જ નામ પરમ સત્ય છે, તેનું જ નામ પરમ અસ્તેય છે, તેનું જ નામ પરમ બ્રહ્મચર્ય છે અને તેનું જ નામ પરમ અપરિગ્રહ છે. પંચ મહાવ્રતની આ ઉચ્ચતમ વ્યાખ્યા છે અને તેને નિશ્ચય વ્રત કહેવાય છે. નિશ્ચય વ્રતનું આવું સ્વરૂપ સમજી તેની પ્રાપ્તિ અર્થે કરાતાં બાહ્ય વ્રત વ્યવહાર વ્રતની સંજ્ઞા પામે છે. નિર્વિકલ્પ સ્થિરતાના અભાવમાં શુદ્ધોપયોગ સાધવા માટે સાધક જે બાહ્ય વ્રતનું પાલન કરે છે તેને વ્યવહાર વ્રત કહેવાય છે. સર્વ જીવોને આત્મબંધુ સમાન જાણી, સ્થાવર કે ત્રસ કોઈ પણ જીવને મનથી, વચનથી કે કાયાથી હણવો નહીં, હણાવવો નહીં કે હણતાં પ્રત્યે અનુમોદવો નહીં તે વ્યવહાર અહિંસા મહાવ્રત છે. સ્થૂળ અને સૂક્ષ્મ મૃષાવાદથી વિરમી, જે વાત જે પ્રમાણે હોય તે પ્રમાણે જ બોલવી તે વ્યવહાર સત્ય મહાવ્રત છે. તૃણમાત્ર પણ પારકી વસ્તુ અણદીધી ન લેવી તે વ્યવહાર અસ્તેય (અદત્તાદાનવિરમણ) મહાવ્રત છે. મનથી, વચનથી, કાયાથી અબહ્મચર્યનું વર્જન તે વ્યવહાર બહ્મચર્ય મહાવત છે. ધન, ધાન્ય, ગૃહ, પુત્ર આદિ સર્વ સચિતઅચિત પરિગ્રહથી વિરામ પામવું, કોઈ પણ વસ્તુ પોતાની માલિકીની ન હોય એવું અકિંચનપણું ધારવું તે વ્યવહાર અપરિગ્રહ મહાવ્રત છે. વ્યવહાર વ્રતના યથાર્થ પાલનથી વૃત્તિઓ કાબૂમાં આવે છે, કષાયો મોળા પડે છે, દોષો નિર્મૂળ થવા લાગે છે અને ચિત્તની સ્થિરતા ઊપજે છે. પરમાર્થનો લક્ષ હોવાથી જગતની વિચારણા ઘટે છે અને પોતાના શુદ્ધ સ્વરૂપની વિચારણા વિશેષ રહે છે. સ્વરૂપસન્મુખતા સધાતાં આત્મસ્થિતિ વધે છે અને ક્રમે કરીને સ્વરૂપસ્થિરતા પ્રગટતાં નિશ્ચય વતની પ્રાપ્તિ થાય છે. આમ, વ્યવહાર વ્રત એ નિશ્ચય વ્રતનું કારણ થાય છે.' બાહ્ય વતનું આવું ઉપકારીપણું છે, પરંતુ ‘સ્વરૂપમાં વર્તવું તે વત' - એવું ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, નિયમસાર’ની શ્રી પદ્મપ્રભમલધારિદેવકૃત ટીકા, વ્યવહારચારિત્ર અધિકાર, મૂળ ગાથા ૭૬, ટીકાશ્લોક ૧૦૭ ‘शीलमपवर्गयोषिदनंगसखस्यापि मलमाचार्याः । प्राहुर्व्यवहारात्मकवृत्तमपि तस्य परंपरा हेतुः ।।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001134
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 1
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & B000
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy