SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૪૮] પિતાના માલિકીની મિલ્કત માનીને તેને આધારે વિકાસના એ પ્રયત્ન થાય છે. પરિણામે તે મિલ્કતને કેવા રૂ૫માં રાખવી ? ને કેવી રીતે વિકસાવવી? તે માલિકની ઈચછા ઉપર નિર્ભર છે. તેથી માલિકે બનીને પોતાના ભાવિ હિત માટે જ શ્વેત પ્રજા વિકસાવે છે. એમ સમજી લેવું જોઈએ. પરિણામે તે પહાડી વગેરે પ્રજાઓનું ક્ષણિક સિવાય સ્થાયિ હિત તો લુંટાતું હોય છે. અમેરિકા વગેરે ખુલ્લા શબ્દોમાં બોલતા હોય છે, કે-“ અમારા સ્વાર્થ માટે દૂર પૂર્વના દેશોની વિકાસ જનાઓમાં અમે પૈસા આપીયે છીએ.” આમ અર્થતંત્રના પરિવર્તનથી એક તરફ વિકાસ અને બીજી તરફ શોષણ, કર, ફ, પ્રથમના ધંધા તૂટવા, નવી નવી ગ્રામજનાઓ, જગાતે વગેરેથી ગરીબી, બેકારી, અજ્ઞાન, આપઘાત વગેરે વધતા જાય છે. તેથી ધંધા ખાતર શિક્ષણ લેનારા વધતા જાય છે, અને રંગીન પ્રજાઓ વધુ ને વધુ ગુલામ બનતી જાય છે. પરંતુ વડાપ્રધાન પં, જવાહરલાલ નહેરૂજી જણાવે છે, કે– “આધુનિક ભારતમાં જન્મ, નાણું, નાત, જાત અને કુટુંબ પર આધાર રાખતી જુના જમાનાની પ્રણાલિકાને કશું પણ સ્થાન રહેશે નહીં...જે લેકે આ જુની પ્રણાલિકામાં માને છે. તેઓએ કાંતિ પિતાની વિચારસરણિ ફેરવવી જોઇએ. અથવા તે જાહેરમાંથી દૂર થઈ જવું જોઈએ” “.. નહીં કે બીજાઓની મહેનત ઉપર જીવનારાઓની.” (આ ધર્મગુરુઓ કે જેઓ ત્યાગપૂર્વક જીવી જનતા ઉપર ઉપકાર કરે છે. તેની સામે કટાક્ષ છે. લે) મુંબઈ સમાચાર પૃ૦ ૧૩ તા. ૧-૧૧-૧ ચાર પુરુષાર્થની જીવનસંસ્કૃતિને જુની પ્રણાલિકા વિદેશીઓએ નામ આપ્યું. તે નામ ભારતવાસીઓ પણ ઉપયોગ કરે. એ કેટલું અસત્ય અને હિંસા તેમણે કહ્યું હતું કે-“હવે દુનિયા એક બાજુ પ્રગતિ અને બીજી બાજુએ વિનાશને આરે ઉભી છે.” “ શકય છે, કે ભાવિ પેઢીઓ અપંગ બને અથવા ખેડખાંપણ સાથે જમે.” “એક બાજુ વિજ્ઞાન સારા જીવન માટે તમામ સગવડો પૂરી પાડે છે, અને બીજા હાથ પર તે માણસજાતને પાંગળી બનાવી અને નાશ કરે તેવી શ કરે છે” “અણુપ્રયોગ અનિષ્ટ છે અને કેઈપણ પ્રકારની દલીલ તેને ઇષ્ટ બનાવી શકશે નહીં. સલામતી અને રક્ષણ માટે આ પ્રયોગ કરાય છે, એવી દલીલને વ્યાજબી ઠરાવી શકાય નહીં. મુંબઈ સમાચાર પૃષ્ઠ ૧૬ તા. ૧-૧૧-૧ વર્તમાન પ્રગતિમાં અનિવાર્ય રીતે જન્મનારા આ સવ પરિણમે છુપાયેલા જ હતા અને છે. આ વાત વડાપ્રધાનના લક્ષ્ય બહાર હતી અને છે. ઉપરના તેમના વક્તવ્યથી પણ જુની જીવનપદ્ધતિ એટલે વાસ્તવિક રીતે તે તે સંસ્કૃતિનું જીવન જીવવાથી ને તેને વળગી રહેવાથી નાશ થવાની સ્પષ્ટ આગાહી છે. પ્રાગતિક જીવન જીવવાથી રંગીન પ્રજાઓનો નાશ નહીં થાય, તેની શી ખાત્રી આપી શકાય તેમ છે ? વડાપ્રધાનશ્રીને વિચારદોષ ત્યાં ' છે. કે નવી પ્રાગતિક જીવનપદ્ધતિ પ્રમાણે જીવવાથી રંગીન પ્રજાઓને નાશ વધારે વહેલે સંભવિત છે. સાંસ્કૃતિક જીવન જીવવાથી નાશ થવાને હશે તો કાંઈક મેડો જ થશે. તે રંગીન પ્રજાનું રક્ષણ છે. તેમાંથી છોડાવવા માટે રંગીન પ્રજાઓને પ્રગતિ તરફ દેડાવવામાં આવે છે. જેથી રક્ષણ રહિત થયેલી પ્રજાઓને પછીથી પ્રગતિમાં પાછળ પાડી દઈ વિનાશ તરફ જલદીથી ધકેલી શકાય. એ દૂરગામી સંકેત તેમાં ગુંથાયેલે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy