SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] વ્યાખ્યાને ગૌણ કરી નાંખવા જોઈએ. આધુનિક બાબતોને ટેકે મળે તેવા વ્યાખ્યાન રાખવા જોઈએ” વગેરે વગેરે ઘણા દાખલા આપી શકાય છે. “બેકાર ભાઈઓને ધંધે લગાડવા જોઈએ. પરંતુ બેકારીના ઉત્પાદક કારણોને સાથે સાથે દૂર કરવા જોઈએ. એ વાત જ કરવાની નહીં” તેને બદલે બેકારી ઉત્પન્ન કરનારી જનાઓને ટેકે અપાતું હોય છે. આમ પરંપરાગત અને આધુનિક સંસ્થાઓ વચ્ચે ન સમજાય તેવો પરસ્પર વિરોધ જ હોય છે. ૨૧ નવી ધાર્મિક ગણાતી સંસ્થાઓમાં મનોરંજન અને હાસ્યરસના કાર્યક્રમને સ્થાન સહેલાઈથી મળતું હોય છે. પરંતુ તે દિવસોમાં સાથે જ મોટી પૂજાઃ આંગીઃ ઉત્સવઃ શ્રા સંધના મહત્ત્વના આંતરિક કાર્યોની ચિંતા વગેરેને તો લગભગ તિલાંજલી જ હોય છે. કેઈ વખત શ્રી સંધ તરફથી ચાલતા થયેલા તેવા મેટા ઉત્સવાદિક વખતે આવી સંસ્થાઓના અધિવેશન રાખવામાં આવતા હોય છે. અને તે ઉત્સવાદિકનો લાભ સ્વાનુકૂળ મુનિમહારાજશ્રીની લાગવગથી લેવાની ગોઠવણ કરી લેવામાં આવતી હોય છે. માત્ર દાળ ભેગી ઢોકળી ચડાવી લેવા પૂરતું એ હોય છે. પરંતુ તે ઉત્સવાદિકમાં તે નવી સંસ્થાના આગેવાને કે કાર્યકર વિગેરેને ભાગ્યે જ કોઈકને જ આંતરિક રસ હોય છે. લગભગ તેવા કાર્યોને જેમ બને તેમ તિલાંજલી જ હોય છે. ૨૨ મુનિમહારાજાઓ, પૂજ્ય આચાર્ય મહારાજાઓ ગામમાં હાજર હોય તો પણ પ્રમુખના સામૈયા થાય કેમકે તે પણ શ્રી સંધ કરતાં સ્વતંત્ર સંસ્થા હોવાનું લક્ષણ છે. ૨૩ તીર્થોના કેસોમાં જનતાને ઉશ્કેરીને ભૂતકાળમાં કેટલાંક કેસોમાં આર્થિક વિગેરેથી લોકો પાસે પ્રચારથી ભાગ લેવરાવ્યું છે. તેમાં પણ રહસ્ય એ છે, કે-વિદેશય સરકારને ધાર્મિક ક્ષેત્રમાં પણ કેપણ બે પક્ષો ઉભા કરીને, ત્રીજી પાર્ટી તરીકેની સત્તા મહાજન જેવી મહા સંસ્થાના આગેવાન જેને જેવા દીર્ધદષ્ટિ અને કુશળ ભારતના આગેવાન પુરુ પાસે કબુલ કરાવવાની ગૂઢ યોજના હતી. તેમાં સામા બીજા પક્ષ તરફ લોકેને ઉશ્કેરવામાં એ સંસ્થાઓ ભાગ ભજવતી હતી. તે નવી સંસ્થાનું બીજું વધારે વજન નહીં એટલે ધાર્મિકક્ષેત્રમાં કામ કરતી વજનદાર બીજી સંસ્થા ધનઃ સમય અને બીજી મહેનત આપે અને તે રીતે ત્રીજી પાર્ટીને પ્રવેશમાં સહાયક નવી સંસ્થા થાય તેની પ્રતિષ્ઠા વિદેશીથોના અંતઃકરણમાં સારું સ્થાન ધરાવતી હોય છે. અને પ્રસંગે તેને પ્રતિષ્ઠા પણ અપાતી હોય છે. ધાર્મિક કાર્યો તે શ્રી સંઘ પરંપરાથી કરતો જ હોય છે. તેમાંથી પણ કેટલાંકને યશ આપી, નવી સંસ્થાઓ પિતાના - યશમાં તેમના કામને ચડાવતી રહેતી હોય છે. કેટલાંક કાર્યો સરકારને કરવાના હોય છે. તેમાં વિરોધ પક્ષ રૂપે દેડી જઈ, તદ્દન પૂરે વિરોધ કરવાને બદલે, થોડે ઘણે વિરોધ કરીને તે કાર્યોને થોડે ઘણો પણ ટેકે આપવામાં પરિણમે, તે રીતે કામગિરી કરતી હોય છે. " ૨૪ આ સ્થિતિમાં કોઈપણ જાતની સાચી ઉન્નતિ શી રીતે થાય? અવનતિ વધતી જ જાય, એ સ્વાભાવિક છે. કેમ કે-પાછળ દોરીસંચાર ત્રીજી શક્તિને હેય છે. ૨૫ નવી સંસ્થાઓનાં આદર્શો ઉદેશેઃ ઠરાની ભાષા અને વિષય વગેરે તો નવા પ્રાગતિક આદર્શોને અનુકૂળ હોય જ છે. છતાં પરંપરાગત ધાર્મિક-સામાજિક વગેરે આદર્શો-પરિભાષાઓ વગેરેને ઉપયોગ એવી રીતે કરાતે રહેતા હોય છે, કે-“ સામાન્ય સમાજના લોકોને “પરંપરાગત સંસ્થાઓથી આ સંસ્થા જુદી છે” એવો ભાસ ન થવા દેવો જોઈએ.” પરંતુ તેની જ વધારે સારી સેવા બજાવાય છે તેવો ભાસ થવા દેવો જોઇએ. એટલા માટે પ્રમુખ કે બીજા આગેવાનોને કે કાર્યવાહકોને પણ એવા જ પસંદ કરવામાં આવતા હોય છે, કે-જેઓ શ્રી સંઘમાં પણ ઓછું-વધતું વજન ધરાવતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001120
Book TitleTattvarthadhigamsutra Bhumika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorBechardas Prabhudas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1960
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, Tattvartha Sutra, & Tattvarth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy