________________
પ્રસ્તાવના
સિનેર નિવાસી માસ્તર ચંદુલાલ નાનચદ પાસે ખાર લખાવેલા નવતર પ્રકરણના વિસ્તરાર્થની કેટલાક સુધારા-વધારે સાથેની બહાર પડેલી પાંચમી આવૃત્તિ ઉપરથી આ છઠ્ઠી આવૃત્તિ બહાર પાડવામાં આવે છે. તે ઉપરથી-સંક્ષેપથી કે વિસ્તારથી નવતત્ત્વનું રહસ્ય સમજવા માટે આ પુસ્તક કપ્રિય થતું જાય છે, એ સ્પષ્ટપણે સમજી શકાય છે.
નવત . આ ચિત્ર-વિચિત્ર ઘટનાઓથી ભરપુર સંસાર અને જગતગોઠવણ તથા રચના કેવા પ્રકારની છે ? એ એક અદ્ભુત કે ઉકેલવાને અનેક બુદ્ધિશાળી મહાત્મા પુરુષોએ જીંદગીની જ અર્પણ કરીને પ્રયત્ન કર્યો છે.
ભારતના પ્રાચીન દર્શનકારોએ તે કેયડાને જુદી જુદી રીતે ? કરવા પ્રયત્ન કરેલ છે. તેમજ જૈનદર્શનના પ્રણેતા મહાન તીર્થકરોએ પણ તેને ઉકેલ કર્યો છે.
પ્રથમ-ભારતના પ્રાચીન દર્શનકારોએ જગને અને જ કેયડો કેવી રીતે ઉકેલ્યું છે ? તે પ્રથમ વિચારીએ. પછી જૈન વિષે જણાવીશું.
ચાર્વાક દર્શન. ૧. આ દર્શન એકજ વાત કરે છે કે-“આ જગમાં પૃથ્વ પાણી, અગ્નિ, વાયુ, અને આકાશ આ પાંચ ભૂત જ જગતના મૂ ત છે. આત્મા, પુષ્ય, પાપ, પરલેક, એવું કાંઈ છે જ નહિ. ખાવુ પીવું, લહેર કરવી, એક બીજાના સ્વાર્થ જાળવવા, કરારોથી બંધાઈ મનુષ્યએ રહેવું. પાંચ ભૂતના સમૂહમાંથી મદિરામાંથી મદનશક્તિ જેમ પ્રાણુઓમાં પ્રાણ–ચૈતન્યશક્તિ પ્રગટ થાય છે. અને તેઓ નાશ સાથે ચેતન્યશક્તિને પણ નાશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org