SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વપ્રકરણ સાથ: ૯ કર્મોને જે સર્વથા ક્ષય થવે તે રૂમોક્ષ અને તે કર્મોને સર્વથા ક્ષય થવામાં કારણરૂપ જે આત્માને પરિણામ એટલે સર્વ સંવરભાવ. અબઘતા, શૈલેશીભાવ અથવા ચતુર્થ શુકલધ્યાન તે મોક્ષ છે, અથવા સિદ્ધત્વ પરિણતિ તે મવમોક્ષ છે. ૯ તોમાં હેય-ય-ઉપાદેય. જીવતત્ત્વ અને અજીવતત્ત્વ ય છે, પુણ્યતત્ત્વ મોક્ષમાં વિદનરૂપ નથી. પરંતુ મેક્ષમાર્ગમાં વળાવા (ભેમીયા) સરખું છે, તેથી વ્યવહારનયે આદરવા ગ્ય છે, પરંતુ ભેમીઆને જેમ ઈષ્ટ નગરે પહોંચ્યા બાદ છોડી દેવાનું હોય છે, તેમ નિશ્રયથી તે પુણ્યતત્વ પણ હેય એટલે છોડવા યોગ્ય છે, કારણ કે પુણ્ય એ શુભ છે તે પણ કર્મ છે, તેથી મેક્ષ માટે સેનાની બેડી સરખું છે; અને મોક્ષ તે પુણ્ય અને પાપ એ બને કર્મને ક્ષય થાય ત્યારે હોય છે, નિશ્ચયથી તે પુણ્યકર્મરૂપ પુણ્યતત્વ છાંડવા યોગ્ય છે, તે પણ શ્રાવકને અવશ્ય આદરવા યોગ્ય છે, અને મુનિને તે અપવાદે જ આદરવા યોગ્ય છે, તેમજ પાપતત્વ પણ છાંડવા યોગ્ય છે તે પ્રસિદ્ધ છે. તથા આશ્રવતત્વ કર્મના આગમન રૂપ હેવાથી હેર છે, સંવરતત્ત્વ તથા નિર્જરાતત્ત્વ એ બે તત્ત્વ જીવના સ્વભાવરૂપ હોવાથી ઉપય છે, બધતવ છે, અને મેક્ષતત્વ ઉપાય છે. અહિં શેર એટલે જાણવા ગ્ય, દેય એટલે ત્યાગ કરવા ગ્ય અને ઉપાય એટલે આદરવા એ અર્થ છે, જેથી કહ્યું છે કે हेया बधासवपावा, जीवाजीव हुति विन्नेया । સંવનન મુજો, પુvo દુતિ વાપu શા (અર્થ સ્પષ્ટ છે) તત્ત્વ-(પુણ્ય), પાપ, આશ્રવ, બધ. સેચત-જીવ, અજીવ. ૩૫ચતત્ત્વ-સંવર, નિર્જરા, મેક્ષ અને પુણ્યતત્વ. અહિં વાસ્તવિક રીતે જે કે ન ત ય છે, તે પણ * કર્મનું સર્વથા રોકાણ તે સર્વસંવર + કમને સર્વથા અબંધ. * મેરૂ પર્વત તુલ્ય આત્માની અતિ નિશ્ચલ અવસ્થા. એ ત્રણે પરિણતિ ચૌદમે ગુણસ્થાને હોય છે... . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy