SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પીઠિકા બુઝવનાર એટલે જે વિનાશ કરનાર (અને તેથી કર્મ રહિત થઈ પરમાતમપણું પ્રાપ્ત કરનાર–નિર્વાણ પામનાર) તેજ આત્મા (જીવ) છે, અને જીવનું એજ લક્ષણ છે, પરંતુ બીજા લક્ષણવાળે જીવ નથી.) એ વ્યવહાર નય આશ્રયીને વાત કહી છે, નિશ્ચય નય આશ્રયીને તે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર ઈત્યાદિ સ્વગુણેને જ કર્તા અને ભક્તા છે, અથવા દુઃખ-સુખના ઉપભેગ–અનુભવવાળે તેમજ જ્ઞાનેપગ અને દશને પગવાળે ઈત્યાદિ ચૈતન્ય લક્ષણ યુક્ત હોય તે લીવ કહેવાય છે, અને તે કારણથી ચૈતન્ય અથવા ચૈતન્ય યુક્ત પદાર્થ તેજ વીતત્ત્વ છે. ૨ તેથી વિપરીત સ્વભાવવાળું અથવા વિપરીત લક્ષણવાળું એટલે ચૈતન્ય લક્ષણ રહિત હોય, અને સુખ-દુઃખને અનુભવ જેને ન હોય તે જડ લક્ષણવાળું જનીવતત્ત્વ છે, જેમ આકાશ, સુકું લાકડું-ઇત્યાદિ. ૩ જેને ઈષ્ટ સામગ્રી પ્રાપ્ત થાય છે તે પરમઆહૂલાદ પામે છે, તથા સુખ ભેગવે છે, તેનું જે મૂળ શુભકમને બંધ તે પુણ્ય અને તેજ પુખ્યવરવ કહેવાય છે. અથવા શુભ કર્મબંધના કારણભૂત શુભ ક્રિયારૂપ શુભ આશ્ર તે પણ અપેક્ષાએ પુણ્યતત્ત્વ કહેવાય છે. જેને લીધે જીવ સુખસામગ્રી પામે તે પુણ્યતત્ત્વ. અહિં પુનાતિ એટલે (જીવન) પવિત્ર કરે તે પુખ્ય અથવા પુનાતિ ગુમતિ -શુભ કરે તે પુષ્ય. ૪ પુણ્યતત્વથી વિપરીત જે તત્ત્વ તે પાપ તત્ત્વ. અથવા અશુભ કર્મ તે પતરવ. અથવા જેના વડે અશુભ કર્મનું ગ્રહણ થાય તેવી અશુભ કિયા (ચેરી–જુગાર- દુર્થોન-હિંસા આદિક) તે પતરૂં. એ પાપના ઉદયથી જીવને પ્રતિકૂળ સામગ્રીઓ પ્રાપ્ત થાય છે, પરમ ઉદ્વેગ પામે છે, અને ઘણું દુઃખ ભેગવે છે. તાંતિ નરિપુ એટલે નરકાદિ દુર્ગતિમાં પાડે તે પાપ, અથવા viાતિ-મઢિનચતિ નીવમિતિ પપ એટલે જીવને મલિન કરે તે પાપ, અથવા શક્તિ એટલે શુષ્કતિ અર્થાત્ આત્માને બાંધે–આવરે તે Tig કહેવાય. અહિં-પુણ્ય પાપની ચતુર્ભગી (એટલે ચાર પ્રકાર) થાય છે, તે આ પ્રમાણે-૧ પુણ્યાનુબંધિ પુષ્ય, ૨ પુણ્યાનુબંધિ પાપ, ૩ પાપાનુબધી પુણ્ય અને ૪ પાપાનુબંધિ પાપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001118
Book TitleNavtattva Prakarana with Meaning
Original Sutra AuthorN/A
AuthorChandulal Nanchand Shah
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1987
Total Pages224
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Philosophy, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy