SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ સતતિકાનામા પષ્ટ કર્મગ્રંથ આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી દે. તે જ સમયે માયાના બંધ ઉદય, અને ઉદીરણનો સમકાળે વ્યવદ થાય અને તેની સત્તા પણ સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક માત્ર જ બાકી રહે, કેમકે બાકીનું ગુણસંક્રમ વડે ; લેભમાં નાંખેલ છે તે પછી અનંતર સમયે લોભની પ્રથમ કિદિનું દ્વિતીય સ્થિતિગત દલિક આકપીને પ્રથમ સ્થિતિગત કરે અને અંતર્મુહૂર્ત પર્યત વેદેસંજવલન માયાના પણ બંધાદિ વ્યવચ્છેદ થયે છતે તે સંબંધી સર્વ દલિકને સમય ન્યૂન બે આવલિકા માત્ર કાળે ગુણસંક્રમ વડે લેભમાં સંક્રમાવે. ત્યારે લેભનું પ્રથમ કિદિનું પ્રથમ સ્થિતિગત દલિક વેદાનું સમયાધિક આવલિકા માત્ર બાકી રહે. તે પછી અનંતર સમયે લોભની બીજી કિદિનું દ્વિતીય ચિતિગત દલિક આકષીને પ્રથમ સ્થિતિગત કરે અને વેદે અને તેને વેદત ત્રીજી કિટ્ટીનું દલિક ગ્રહણ કરીને સમયાધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી સૂક્ષ્મ કિટ્ટીઓ કરે તે જ સમયે વળી સંજવલન લેભનો બંધ વ્યવચછેદ, બાદર કષાય (લેભ)નાં ઉદય ઉદીરણાનો વિચ્છેદ અને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનને વ્યવચ્છેદ સમકાળે થાય. તે પછી અનંતર સમયે બીજી સ્થિતિનું સૂમકિટ્ટીકૃત દલિક આકર્ષીને પ્રથમ સ્થિતિગત કરે અને વેદે. ત્યારે તે જીવ સૂક્ષ્મસં૫રાય કહેવાય. પૂર્વોક્ત ત્રીજી કિટીની બાકી રહેલી સંપૂર્ણ આવલિકા વેદાતી પર પ્રકૃતિને વિષે તિબુક સંક્રમવડે સંક્રમાવે અને પહેલી બીજી કિટ્ટીગત આવલિકા અનુક્રમે બીજી ત્રીજી કિટ્ટીની અંતર્ગત સંક્રમાવીને વેદે, લેભની સૂક્ષ્મ કિટ્ટીઓને વેદનારો સૂમસં૫રાયગુણથાનવર્તિ જીવ સૂક્ષ્મ કિટ્ટીનું દલિક અને સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલ સમયે સમયે સ્થિતિઘાતાદિ વડે સૂમસંપરીયાદ્ધાના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ બાકી રહે ત્યાં સુધી ખપાવે. તે પછી તે બાકી રહેલા સંખ્યાતા ભાગમાં સંજવલન લોભ સર્વ અપવર્તના વડે ઘટાડીને સૂમસં૫રાય અદ્ધા હજી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ બાકી હોય ત્યાંથી માંડીને મોહનીય કર્મના સ્થિતિઘાતાદિ વિરમે પણ શેવ કર્મના પ્રવર્તે. લેભની તે ઘટાડેલી સ્થિતિને ઉદય ઉદીરણ વડે વેદતો સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી જાય. તેને અનંતર સમયે ઉદીરણા વિચ્છેદ જાય તેથી ફક્ત ઉદય વડે જ છેલ્લા સમય સુધી તેને વેદે. તે ચરમ સમયે પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, ચશઃ કીર્તિ, ઉચ્ચ ગોત્ર અને પાંચ અંતરાય એ સળ પ્રકૃતિનો બંધ વ્યવછેદ થાય અને મેહનીય કર્મની ઉદય સત્તાનો વ્યવચ્છેદ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy