SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષયક શ્રેણિ ૩૩ : સમયાધિક આવલિકા માત્ર શેષ હેય, એમ આગળ પણ કહેવું, ઇત્યાદિક ઈહાં ઘણું વક્તવ્ય છે પણ વિસ્તારના ભય થકી કહેતા નથી. તે ૮૦ તે પછી અનંતર સમયે ત્રીજી કિદિનું દ્વિતીય સ્થિતિગત દલિક આકરીને પ્રથમ સ્થિતિગત કરે અને સમયાધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી દે. આ ત્રણે કિદિ વેદનાહાને વિષે ઉપરની સ્થિતિનું દલિક ગુણસંક્રમે કરીને પણ સમયે સમયે અસંખ્ય ગુણ વૃદ્ધિએ સંજ્વલન ભાનમાં નાંખે. ત્રીજી કિદિવેદનાદ્ધાના ચરમ સમયે સંવલન ફોધનાં બંધ, ઉદય અને ઉદીરણનો સમકાળે વ્યવચ્છેદ થાય. તેની સત્તા પણ સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક વજીને બીજી શેષ રહી નથી કેમ કે સર્વ માનમાં - સંક્રમાવેલ છે. તે પછી અનંતર સમયે માનની પ્રથમ કિદિનું દ્વિતીય સ્થિતિગત દલિક આપીને પ્રથમ રિથતિગત કરે અને અંતર્મુહૂર્ત પર્યત દે. ધના પણ બંધાદિ વ્યવચ્છેદ થયે તે તે સંબંધી દલિક સમય ન્યૂન બે આવલિકા માત્ર કાળે ગુણસંક્રમે સંક્રમાવતો ચરમ સમયે સર્વસંક્રમે સંક્રમાવે. અહીં ક્રોધનો ક્ષય થાય, માનનું પણ પ્રથમ કિદિનું પ્રથમ સ્થિતિગત કરેલું દલિક વેદાતું સમયાધિક આવલિકાનું બાકી રહે. તે પછી અનંતર સમયે માનની બીજી કિષ્ટિનું પ્રિતીય સ્થિતિગત દલિક આકષીને પ્રથમ સ્થિતિ કરે અને સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી દે. તે પછી અનંતર સમયે માનની ત્રીજી કિદિનું દિતિયરિથતિગત દલિક આકપીને પ્રથમ સ્થિતિ કરે અને સમયાધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી દે. તેજ સમયે માનના બધ, ઉદય અને ઉદીરણાને એક સાથે વ્યવદ થાય અને તેની સત્તા પણ સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલિક પૂરતી જ બાકી હેય. કેમ કે બાકીનું માયામાં સંક્રમાવેલ છે. તે પછી માયાની પ્રથમ કિદિનું દ્વિતીયસ્થિતિગત દતિક આકષીને પ્રથમ સ્થિતિ કરે અને અંતર્મદૂત પર્યત વેદ. માનને પણ બંધાદિ વ્યછેદ થયે તે સંબંધી દલિક સમય ન્યૂન બે આવલિકા માત્ર કાળે ગુણસંક્રમ વડે માયામાં નાખે, માયાનું પણ પ્રથમ કિદિનું દ્રિતીય સ્થિતિનું પ્રથમથિતિગત કરેલું દલિક વેદાનું સમાધિક આવલિકા માત્ર શેષ ૨છે. તે પછી અનંતર સમયે માયાની બીજી કિદિનું દ્વિતીયસ્થિતિગત દલિક આકષીને પ્રથમ સ્થિતિગત કરે અને સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેદે, તે પછી અનંતર સમયે ત્રીજી કિદિનું દ્વિતીયસ્થિતિગત દલિક આકષીને પ્રથમ સ્થિતિગત કરે અને સમયાધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy