SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ ' અર્થ-બંધનો વિછેદ થયે છતે ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા [એ બે ભાંગા તેમજ ચારનો ઉદય અને છે અથવા ચારની સત્તા હોય. વેદનીય, આયુષ્ય અને ગોત્રકમને વિષે સિંધ આશ્રયીને બંધાદિ સ્થાનના] ભાંગા કહીને મોહનીય કર્મના ભાંગા હવે પછી કહીશું ૧૦ વિવેચન –તથા બંધ ટળે થકે ચારનો ઉદય નવની સત્તા અને પાંચને ઉદય નવની સત્તા એ બે ભાંગા ઉપશામહ ગુણઠાણેજ પામીએ; ઉપશમણિએ નિદ્રા-પ્રચલાનો ઉદય સંભવે અને ત્યાનદ્વિત્રિક પણ સત્તામાં હોય તે માટે તથા ચારનો ઉદય છની સત્તા એ ભાંગો ક્ષીણકષાયના દ્વિચરમ સમય લાગે પામી. તથા ચારને ઉદય ચારની સત્તા એ ભાંગો ક્ષીણકષાયને છેલ્લે સમયે હોય; ત્યાંજ નિદ્રા પ્રચલાની સત્તા ટળે તે માટે, એ પ્રમાણે દશનાવરણીયના અગ્યાર ભાંગી હોય, તે વળી જ્યાં જેટલી નિદ્રા ઉદયે હોય તેટલીનાં નામ લઇને જુદાજુદા ભાંગા કરીએ ત્યારે ૨૧ ભાંગા થાય, અને વળી કસ્તવ કહ્યા પ્રમાણે ક્ષેપકને નિદ્રાદ્વિકનો ઉદય કહીએ ત્યારે ચારનો બંધ, પાંચનો ઉદય અને છની સત્તા એ ભાંગ નવમે-દશમે ગુણઠાણે વર્તતા ક્ષપકને હેય, તથા બંધને અભાવે પાંચનો ઉદય અને છ ની સત્તા એ ભાંગો ક્ષીણમોહે દ્વિચરમ સમય લગે હોય; એમ ૧૩ ભાંગા થાય, નિદ્રાને પૃથક નામ હી કહીએ ત્યારે ૨૫ ભાંગા થાય, એ પ્રકારે દર્શનાવરણીય કર્મના બંધોદયસત્તાસંવેધે ભાંગા કહ્યા, હવે વેદનીય કર્મ, આવું કર્મ અને ગોત્ર કર્મ એ ત્રણના. બદયસત્તા સંવેધન ભાંગા થોડા માટે તેને પૂર્વે કહીને મોહનીય કર્મના બંધોદયસત્તા સંધના ભાંગા ઘણા છે માટે પછી કહીશું. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy