SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ જતાં ઘણું ઘણું ભૂલાઈ જાય છે, વળી ફરીથી તે વસ્તુ જોવામાં આવે તે પછી તે યાદ આવે છે, એટલે કે સ્મરણ થાય છે. પરંતુ જેની અવિસ્મૃતિ ધારણા થયા પછી જે વસ્તુનું જ્ઞાન થયું હોય છે, તે જ્ઞાન જે સર્વથા નાશ પામતું હોય, તે તે વસ્તુ ફરીથી જોયા વિના તેનું સ્મરણ ન થાય. પરંતુ સ્મરણ થાય છે, માટે તે અવિષ્ણુ તોપયોગ પૂરું થયા પછી પણ પશમરૂપે સંસ્કાર ટકી રહે છે. તેને વાસના ધાણું કહેવામાં આવે છે. અને વાસનાના બળથી સ્મરણ થાય છે, અને તે પણ કેટલીક વખત ટકી રહે છે, તે સ્મરણ ધારણું કહેવાય છે. અર્થાત ધારણાના ત્રણ પ્રકાર છે. અવિસ્મૃતિ: વાસના: અને સ્મૃતિ: મન અને આંખ સિવાયની બહારની અને અંદરની ઈ દિયોની મદદ વિના આત્મા વ્યંજનાવગ્રહ કરી શકતો નથી. માટે ઈદિયો તેનું સાધન છે. તેથી ઈ દિયો પણ વ્યંજન કહેવાય છે. એટલે કે વ + અન્ + અર કરણમાં વિગ્રહ કરવાથી–“જે વડે વસ્તુ પ્રગટ કરી શકાય, જાણી શકાય, તે વ્યંજન, એટલે કે ઈ . અને કર્મમાં વિગ્રહ કરવાથી વ્યંજન એટલે સંપૂર્ણ અર્થપ વસ્તુ, જેનું સ્વરૂપ ઉપર સમજાવેલું છે, તે એટલે કે જે પ્રગટ કરાય, જેનું જ્ઞાન કરાય, તે વ્યંજન. અને અવગ્રહ એટલે કે પ્રથમ વિષયને પકડનારો જ્ઞાન પગ એટલે શબ્દોનો સામટો અર્થ એ થયો કે-વ્યંજન વડે-એટલે ઈન્દ્રિયો વડે, વ્યજનને એટલે વિષય-અવગ્રહ, એવો શબ્દ છે. સંસ્કૃત ભાષાના સમાસના નિયમ પ્રમાણે એક જાતના બે શબ્દો એકઠા થાય, તો અર્થ કાયમ રહે છે. પરંતુ તેમાંનો એક શબ્દ ઉડી જાય છે. એટલે વ્યંજનાવગ્રહ શબ્દ રહે છે, વ્યંજન વડે વ્યંજનનો અવગ્રહ વ્યંજન વ્યંજનાવગ્રહ વ્યંજનાવગ્રહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy