SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ સુધી તે માણસને મૃત માને છે, ને તુરત ચાલ્યો જાય છે. પરંતુ જે ધબકારાના અવાજનો અર્થાવગ્રહ થઈ જાય, તે ચાલ્યું જાય નહીં. કેમકે તેથી તેને તે માણસ જીવતે હોવાની ખાત્રી થવા માંડે છે. તેવી જ રીતે આપણે કોઈ પણ સભામાં સુંદર સંગીત સાંભળતા હોઈએ અને તે સાંભળવામાં તલ્લીન હેઈએ, તેવામાં દૂરથી કઈ માળી ફૂલની છાબડી લઈને જતે હોય, ફૂલની સુગંધના અણુઓ આપણું નાકની અંદરની ઈદ્રિયને અડકે પણ ખરા. પરંતુ આપણને ખ્યાલ ન રહે કે સુગંધ આવે છે. તે વખતે વ્યંજનરૂપ સુગંધિ અણુઓનું જ્ઞાન આપણને થતું હોય છે. આપણી જ્ઞાનશક્તિ તે પકડે છે. પરંતુ તે માળી એમને એમ દૂરથી વધુ દૂર ચાલ્યું જાય, તે પછી આપણને સુગંધિની ખબર પડતી નથી, કેમકે તેને વ્યંજનાવગ્રહ થઈને અટકી જાય છે. પરંતુ તે માળી નજીક આવતો જાય. આપણી પાસે આવે અને આપણને ફૂલની માળા હાથમાં આપવા માટે પોતાના હાથમાં પકડીને ઉભે રહે, આપણું ધ્યાન સંગીત સાંભળવામાં હોય, છતાં મહેકતી સુગંધનું જ્ઞાન થતાં જ આપણે તેની સામે જોઈ માળા હાથમાં લઈએ છીએ. કેમકે આપણને સુગંધનું જ્ઞાન થઈ શકે તેટલા જ ત્યામાં તેના કંધે આપણું નાકને અડી ચૂક્યા હોય છે. એટલા જથામાં નાકની ઈયિ ઉપર એકઠા થયેલા સુગંધના સ્કેનું નામ અર્થ ગણાય છે, અર્થ શબ્દનો અર્થ અહીં ઇનિ –અમુક જત્થામાં–વિષયપદાર્થ સમજવાનો છે. ઇધેિ જાણી શકે તેવા જત્યામાં વિષય ઈ દિયને સ્પર્શ કરે તોજ ઇંદ્રિય પિતાને વિષય જાણી શકે છે. માટે જાણી શકે તેવી સ્થિતિમાં ઇન્દ્રિયની મર્યાદામાં આવેલા વિષયને અર્થ કહેવામાં આવે છે. • તે પહેલાની ઓછી સ્થિતિ વખતે તેજ અર્થનું નામ વ્યજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy