SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ રણું અનુસાર ગોઠવાતા આકાર સાક્ષાત આત્માથી તેઓ જુઓ છે. અને જોતાં જ તે વિષે કેટલાકનું સાકાર જ્ઞાન અને કેટલાકનું નિરાકાર જ્ઞાન થાય જ, પરંતુ તેને સમાવેશ અવધિદર્શન અને અવધિજ્ઞાનમાં થાય છે. એટલે ત્યારપછી પ્રવર્તતા ઓછા કે વિશેષ અનુમાનના પ્રકારે જજુમતિ અને વિપુલમતિ મન:પર્યવ તરીકે પરિભાષિત કરવામાં આવેલ છે. એટલે તેનું દર્શન નથી હોતું. અવધિજ્ઞાની જ્યારે દરેક રૂપી પદાર્થોનું સાક્ષાત આત્માથી જ્ઞાન કરી શકે છે, એટલે મન પણ રૂપી દ્રવ્ય હોવાથી તેમાં આવી જાય છે, એટલે અવધિજ્ઞાની મનોદ્રવ્યોને પણ સાક્ષાત આમાથી જાણી શકે છે. પરંતુ, કોઈ જીવોને બીજા રૂપી દ્રવ્યો વિષેનું અવધિજ્ઞાન ન થવા છતાં મતિજ્ઞાન પછી મન:પર્યવ જ ઉત્પન્ન થઈ જાય છે, એટલે મનદ્રવ્યજ જોઈ શકે, તેવું વિશિષ્ટ અવધિ થાય છે, અને તેની અ૯પ યા વિશેષ અનુમાનશક્તિ રૂ૫ મન:પર્યવ પ્રવર્તે છે, પરંતુ મુખ્યતાની અપેક્ષાએ અવધિજ્ઞાનની અવિવા કરીને તેને મનની મુખ્યતાને લીધે મન:પર્યાવજ્ઞાન જ કહ્યું હોવાનું સમજાય છે. એટલે અવધિજ્ઞાનીને મન:પર્યાય જ્ઞાન થાય, ત્યારે તેના મનોકાના સાકાર અને નિરાકાર ઉપયોગ જેમ અવધિજ્ઞાન અને અવધિદર્શનમાં સમાવેશ પામી જાય છે, અને પોતે તો માત્ર હજુ કે વિપુલ સાકારપયોગ રૂપે જ રહે છે. તે જ પ્રમાણે અવધિ વિના મન પર્યાય થાય તેને પણ એ જ પ્રમાણે માનીને–સાકારપયોગવાળું જ માત્ર ગણુને “તેને દર્શન નથી હોતું” એમ વિવક્ષા કરીને ઠરાવ્યું જણાય છે. બહુ સૂક્ષ્મ વિચારણા કરીએ, તે અવધિજ્ઞાનના અસંખ્ય ભેદમાંને એક ભેદ મદ્રવ્યને જ્ઞાન પૂરત માનવા હરકત જણાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy