SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ પગમાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ પ્રવર્તતે તેના ધ્યાનમાં નથી રહે. અને જ્યારે તે સમજમાં આવીને એમ ધારે છે કે “મારી સામે જણુતા પાણીના તરંગો ઝાંઝવાના જળ છે, ખરૂં પાણી નથી.” ત્યારે તેની તૃપા વધતી જાય છે. અને જલ્દી રણ પસાર કરીને ઉતાવળે દેડી પાણી મેળવવા અધીરી થાય છે. તેમ કરતાં દૂરથી જ્યારે કોઈ પાણીની પરબ તેની સામે નજરે દેખાય છે. ત્યારે આશાના વેગમાં એકદમ જેટલું બળ હોય તેટલો ઉતાવળ ચાલીને જેમ બને તેમ તે પરબ પાસે જઈ પહોંચે છે. પરબની માટલી જ તેની આંખમાં, તેના મનમાં, તેની ઈચ્છામાં, જડાઈ જાય છે, કેન્દ્રિત થઈ જાય છે. તે માટલી કેવી છે ? આજુબાજુ કોણ છે ? પાનાર કોણ છે ? ઉપર છાયા કરનાર ઝાડ કયું છે ? તેની પછી શું છે ? તેની આજુબાજુ શું છે ? એ દરેક પદાર્થો તેની નજર સામે આવે છે, અને તેના સૂક્ષ્મ ઉપયોગ પણ પ્રવર્તે છે, તે એટલા બધા વ્યક્ત-પ્રગટ નથી હોતા, કે જેટલા પાણીની માટલીના અને પાનાર વિષેના ઉપયોગ વ્યક્ત હોય છે. બસ, વ્યક્ત ઉપગ સાકાર કહેવામાં આવે છે. અને અવ્યક્ત ઉપયોગોને નિરાકાર ઉપયોગ કહેવામાં આવે છે. કોઈ પણ એક કામ કરતી વખતે જુદી જુદી વસ્તુને લગતા સાકાર-નિરાકાર-બનેય ઉપયોગ પ્રવર્તે છે, પરંતુ તે બધાય આપણું ખ્યાલમાં નથી હોતા. જેના ઉપયોગ ખ્યાલમાં આવે તેવા પ્રવર્તે છે, તે સાકાર ઉપગે કહેવાય છે. અને પ્રવર્તે છતાં ખ્યાલમાં નથી આવતા તે નિરાકાર ઉપયોગો કહેવાય છે. આ પ્રમાણે જગતમાં જુદા જુદા પ્રાણીને જુદે જુદે વખતે પ્રવર્તતા અનંત ઉપયોગનું વર્ગીકરણ કરી તેનું શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે નીચે પ્રમાણે વિવેચન કરવામાં આવેલું છે? પ્રાણુઓને વધુમાં વધુ પાંચ ઈદ્રિય અને છઠું મન હોય છે. એ છમાંથી કોઈ પણ એકનીય મદદ વિના કોઈ પણ પ્રાણી કોઈ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy