SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ મેળવવાની શક્તિ આત્મામાં છે, સર્વને ભેગ અને ઉપભોગ કરવાની શક્તિ આત્મામાં છે, તેમજ આખા કાલોકને ગમે તેમ કરી નાંખવાની શક્તિ આત્મામાં છે. પરંતુ આ કર્મ તેમાં વિદન નાખે છે. ૧૫૪. ૧. દાનાન્તરાય કમ–જગના સર્વ પદાર્થોને ત્યાગ કરવાની–દાન આપવાની શક્તિ આત્મામાં છે, તેમાં આડે આવી આ કમ મળેલી વસ્તુઓનું પણ દાન દેવા દેતું નથી. ૧૫૫, ૨, લાભાતરાય કમ–જગતના તમામ પદાર્થો પિતાના બનાવવાની જીવની શક્તિમાં આ કર્મ આડે આવે છે. એટલે જરૂરી ચીજો પણ જીવને મળી શકતી નથી, એક ભવમાં અમુક જ વસ્તુઓ મળે છે. - ૧૫૬, . ભેગાન્તરાય કમ–વિશ્વની સમસ્ત વસ્તુ આત્માને ભોગ્ય છે. તેમાંથી અમુક જ વસ્તુઓને ભોગ એક ભવમાં કરી શકાય છે. બીજી વસ્તુઓને ભોગ નથી કરી શકાતો, તે ભેગાન્તરાય કમને લીધે હોય છે. ભોગ એટલે એક વાર જે ભગવી શકાય તે અન્ન, ફલ, ચંદન વગેરે. ૧૫૭. ૪. ઉપભેગારાય કર્મ-વારંવાર જે ભોગવી શકાય તે વસ્ત્ર, ભૂષણ વગેરે ઉપભોગની વસ્તુ કહેવાય છે, વિશ્વની સમસ્ત વસ્તુ આત્માને ઉપભોગ્ય છે. તેને ઉપભોગ કરવા ન દે, તે ઉપભોગાતરાય ક. ૧૫૮. ૫. વીર્યાન્તરાય કર્મ –લે કાલકનેય ફેરવી નાંખવાનું સામર્થ્ય આત્મા ધરાવે છે. તેમાંનું જેટલું સામર્થ્ય આત્મા ઓછું ધરાવી શકે. પૂરેપૂરું સામર્થ્ય ધરાવા ન દે. તે વિન્તરાય ક. આ કમને ક્ષય થવાથી આત્મા વિશ્વની સમગ્ર વસ્તુઓનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy