SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર તત્ત્વા પ્રત્યે અશ્રદ્ધા તે આભિગ્રાહિક મિથ્યાત્વ. આમાં વિપરીત સમજણુ તથા અભિગ્રહ-પકડ મુખ્ય ભાગ ભજવે છે. (ર) અનાભિથ્રાહિક-અનાભિગ્રાહિક એટલે અભિગ્રહથી -પકડથી રહિત. અમુક જ દન સત્ય છે એવા અભિગ્રહથી રહિત બનીને “સવ દ્રુના સત્ય છે” એમ સ દર્શના ઉપર શ્રદ્ધા રાખનાર જીવની તત્ત્વા પ્રત્યે અશ્રદ્ધા તે અનાભિગ્રાહિક મિથ્યાત્વ. આમાં યથાર્થ સમજણના અભાવ તથા સરળતા મુખ્ય કારણ છે. (૩) આભિનિવેશિકઅભિનિવેશ એટલે કદ્રાગ્રહ-પકડ. યથાવસ્થિત તત્ત્વાને જાણવા છતાં અહંકાર આદિના કારણે અસત્ય સિદ્ધાંતને પકડી રાખનાર જીવની તા પ્રત્યે અશ્રદ્ધા એ આભિનિવેશિક મિથ્યાત્વ. આમાં અહુકારની પ્રધાનતા છે. અસહ્ય સિદ્ધાંત વિશે અભિનિવેશ-પકડ અહંકારના પ્રતાપે છે. ચષિ અભિગ્રહ અને અભિનિવેશ એ એને અથ પકડ છે. એટલે શબ્દાની દૃષ્ટિએ બનેના અથ એક છે. છતાં બંનેમાં પકડના હેતુમાં ભેદ્ય હાવાથી અના ભેદ પડે છે. આભિચાહ્વિક મિથ્યાત્વમાં વિપરીત સમજણુથી પકડ છે. જ્યારે આભિનિવેશિકમાં અંદરથી (હૃદયમાં) સત્ય હકીકતને સમજવા છતાં “ મારું માનેલું-મારું કહેલું હું કેમ ફેરવું ?” ઈત્યાદિ અહુકારના પ્રતાપે પેાતાની અસત્ય માન્યતાને પકડી રાખે છે. ખીજું, આભિગ્રાહિકમાં સર્વ તત્ત્વો પ્રત્યે વિપરીત માન્યતા હાય છે, જયારે આભિનિવેશિકમાં કેાઈ એકાદ તત્ત્વ વિશે કે કોઈ એક વિષયમાં વિપરીત માન્યતા હૈાય છે. 66 . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy