SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૪) ન્યાસ-અપહાર :–ન્યાસ એટલે થાપણ. પૂર્વે થાપણું રૂપે મૂકેલા પૈસા લેવા આવે ત્યારે નથી આપ્યા એમ કહીને થાપણને અપહાર–અસ્વીકાર કરે તે ન્યાસ-અપહાર. જે કે આ ચેરીને જ એક પ્રકાર છે. છતાં એ ચેરી અસત્ય બોલીને કરાતી હોવાથી, એમાં અસત્યની પ્રધાનતા હોવાથી એને અસત્યમાં સમાવેશ કર્યો છે. (૫) ફૂટસાક્ષી-કેટ આદિના પ્રસંગે કેની બેટી. સાક્ષી પૂરવી. બેટી સાક્ષીથી બીજાના પાપને પણ પુષ્ટિ મળતી હોવાથી ફૂટસાક્ષી અસત્યને ઉપરના ચાર અસત્યથી જદે ગણેલ છે. અસત્યના અનેક પ્રક ૨ છે. તેમાં આ પાંચ પ્રકારના અસત્યથી આધ્યાત્મિક અને વ્યવહારિક એ બંને દષ્ટિએ ઘણું જ નુકશાન થાય છે. આથી ગૃહસ્થ આ સ્કૂલ પાંચ અસત્યને અવશ્ય ત્યાગ કરવું જોઈએ. આ અસત્યથી કેટલીક વાર પોતાના કે પરના પ્રાણુ જવાને પણ પ્રસંગ ઉપસ્થિત થાય, પરસ્પર વૈમનસ્ય ઊભું થાય, લેકમાં પોતાના પ્રત્યે અવિશ્વાસ પેદા થાય વગેરે અનેક નુકશાન થાય છે. પરિણામે વ્યવહાર બગડે છે અને એને લઈને ધર્મને પણ ધક્કો પહોંચે છે. કોઈનો જીવ બચાવવા અસત્ય બલવું પડે તે તેને આ નિયમમાં સમાવેશ થતો નથી. કારણ કે તે વાસ્તવિક અસત્ય નથી.' ફળઃ લોકોને (- લાગતા વળગતાઓને પોતાના પ્રત્યે વિશ્વાસ પેદા થાય છે. અસત્યના ચંગે થતા કલેશ-કંકાસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy