SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सिद्धाचलमण्डन श्री ऋषभदेवस्वामिने नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । श्री चिन्तामणिपार्श्वनाथाय नमः । श्री महावीरस्वामिने नमः । श्री गौतमस्वामिने नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादसद्गुरुदेवमुनिराजश्री भुवनविजयजीपादपद्मभ्यो नमः । पिन मागभ क्यारा (પ્રસ્તાવના). પરમકૃપાળુ અનંત ઉપકારી અરિહંત પરમાત્મા તથા મારા અનંત ઉપકારી શ્રી સદ્ગુરુદેવ તથા પિતાશ્રી પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજાની પરમકૃપા તથા સહાયથી અત્યંત પ્રાચીન તાડપત્રાદિલિખિત વિવિધ હસ્તલિખિત આદર્શોને આધારે આચાર્યભગવાન શ્રી જિનદાસગણિમહત્તરવિરચિત ચૂર્ણિ, યાકિનીમહત્તરાધર્મસૂનુ આચાર્યપ્રવરશ્રી હરિભદ્રસૂરિ મહારાજવિરચિત શિષ્યહિતા વિવૃતિ તથા આચાર્યપ્રવર મલધારિશ્રીહેમચંદ્રસૂરિવિરચિત વૃત્તિનું સંશોધન-સંપાદન કરીને આ ત્રણેય વિવરણો સહિત શ્રી અનુયોગવારસૂત્રના પ્રથમ વિભાગને થોડા સમય પૂર્વ પ્રકાશિત કરીને હવે આ બીજા વિભાગને આગમભક્ત જગત સમક્ષ રજુ કરતાં આજે અમને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. શ્રી અનુયોગવાર સૂત્ર મૂલગ્રંથના સંપાદક સ્વ. પૂ. આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ છે. તેમણે તેનું સંપાદન પં. દલસુખભાઈ માલવણિયા તથા પ. અમૃતભાઈ મોહનલાલ ભોજકના સહયોગથી વિસ્તૃત પ્રસ્તાવના તથા વિવિધ પરિશિષ્ટો સાથે કર્યું હતું જે શ્રી મહાવીર જૈન વિદ્યાલય (મુંબઈ)ની જૈન આગમ ગ્રંથમાલામાં ગ્રંથાંક ૧ રૂપે વિક્રમ સંવત્ ૨૦૨૪ (વીર સંવત ૨૪૯૪, ઈ.સ. ૧૯૬૮) માં પ્રકાશિત થયું છે. એનો જ અમે અહીં અનુયોગદ્વારસૂત્રના મૂલના સંપાદનમાં ઉપયોગ કર્યો છે. એમાં જે ટિપ્પણો હતાં તે બધાં અહીં પ્રથમ પરિશિષ્ટમાં અમે લઈ લીધાં છે. ગ્રંથ, ગ્રંથકાર, ટીકાકાર, તાડપત્ર તથા કાગળ ઉપર લખેલો વિવિધ હસ્તલિખિત આદશ આદિ વિષે આ ગ્રંથના પ્રથમ વિભાગની પ્રસ્તાવના તથા પરિશિષ્ટોમાં ઘણું ઘણું લખાઈ ગયું છે, એટલે તેનું પુનરાવર્તન ન કરતાં વિશેષ આવશ્યક હકીકતો અહીં જણાવાય છે. અંકનિર્દેશ - પ્રાચીન હસ્તલિખિત આદશોંમાં લખવામાં સંક્ષેપ કરવાની દૃષ્ટિથી અંકનિર્દેશ કરવામાં આવતો હતો. જેમકે પત્તેયે વત્તેય લખવાનું હોય ત્યાં પત્તેય ૨ એમ લખવામાં આવે. ૨ અંક એમ સૂચવે છે કે પૂર્વેનો પત્તેય શબ્દ બે વાર સમજવાનો છે. કેટલીકવાર પ્રસિદ્ધ પદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001107
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 02
Original Sutra AuthorAryarakshit
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2000
Total Pages560
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy