________________
પ્રસ્તાવના વાર્તિક વિષે બૃહત્કલ્પમાં કહેવામાં આવ્યું છે - “અત્યં પુષ્યધર મત્તો વિમાસેદ્ ”- - બૃ. ગા. ૧૯૯
પૂર્વધર સૂત્રનો જે અર્થ સમગ્રભાવે વર્ણવે છે તે વાર્તિક છે. એટલે કે સૂત્રનો એવો એક પણ અર્થ બાકી નથી રહેતો જે વાર્તિકમાં કહેવામાં આવ્યો ન હોય. આચાર્ય શ્રી જિનભદ્ર વાર્તિકનું વિવરણ આ પ્રમાણે કર્યું છે -
वित्तीए वक्खाणं वत्तियमिह सव्वपज्जवेहिं वा। વિરતો વા નાત નMિવનધ વત્ત સુત્તે - વિશેષા. ૧૪૨૦
વૃત્તિ = સૂત્રવિવરણનું પણ જે વ્યાખ્યાન કરવામાં આવે તે વાર્તિક છે અર્થાતુ ટીકાની પણ ટીકા તે વાર્તિક છે. અથવા તો સર્વપર્યાયો વડે જે વ્યાખ્યાન તે પણ વાર્તિક છે. અથવા તો વૃત્તિથી જેની ઉત્પત્તિ છે તે, અથવા તો સૂત્રમાં જે પરંપરાથી વ્યાખ્યા હોય તે વાર્તિક છે.
વાર્તિકકારની વિશેષતા બૃહત્કલ્પ અને આચાર્ય શ્રી જિનભદ્ર બંને વર્ણવે છે. બૃહત્કલ્પ ભાગમાં સૂચવ્યા પ્રમાણે તે પૂર્વધર હોય એ તો આપણે પ્રથમ જોઇ ગયા છીએ. ઉપરાંત, તેમાં જણાવ્યું છે કે જે સમયે જેયુગપ્રવર-યુગપ્રધાન હોય તેમની પાસેથી જેણે વિવરણ ગ્રહણ કર્યું હોય તે વાર્તિકકાર બની શકે છે. ભગવાન શ્રી ઋષભ અને શ્રી મહાવીર વચ્ચે શરીર આદિના પ્રમાણમાં ઘણો તફાવત છે તો તે બંનેનું જ્ઞાન સરખું કેમ હોય? એવી શંકાનું પણ સમાધાન કરવામાં આવ્યું છે કે શરીર પ્રમાણ વગેરેમાં ભલે ભેદ હોય, પણ તેમનાં ધૃતિ, સંહનન અને કેવલજ્ઞાનમાં તો કશો જ ભેદ નથી. તેથી બંને સરખી રીતે જ વિવરણ કરવા સમર્થ છે. - બુ. ૨૦૧-૨૦૩. ત્યારે સહજ પ્રશ્ન થાય કે તો શું દ્વાદશાંગમાં આદિશ્રુત જે કાંઈ છે તે બધું જ નિયત છે કે એમાં કાંઈ ભેદ પડે છે? આના ઉત્તરમાં જણાવ્યું છે કે જ્ઞાતાધ્યયનમાંનાં ઉદાહરણો, ઋષિભાષિત અને પ્રકીર્ણક – આમાં તે તે કાળે બનતી ઘટનાઓનો સમાવેશ સંભવિત હોવાથી ભેદ પડે ખરો, પણ બાકીનું તો બધુંય પ્રાય: નિયત છે, જે શ્રી ઋષભ અને શ્રી મહાવીરનું સરખું જ છે. - બૃ. ૨૦૪.
આચાર્ય શ્રી જિનભદ્ર પણ ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની=પૂર્વધરને વાર્તિકકાર કહે છે અને એમ પણ કહે છે કે જે કાળે જે યુગપ્રધાન હોય છે અથવા તો તેની પાસેથી જે શીખેલ હોય તે વાર્તિકકાર બની શકે છે. - વિશેષા. ૧૪૨૧.
આચાર્ય શ્રી જિનભટ્ટે એમ પણ કહ્યું છે કે અનુયોગાચાર્યે જે વ્યાખ્યા કરી હોય તેથી ન્યૂન કરી શકે તે ભાષક, તેટલી જ કહી શકે તે વિભાષક, પણ જે તેથી પણ અધિક પોતાની પ્રજ્ઞાબળે કરે તે વાર્તિકકાર કહેવાય. - વિશેષા. ૧૪૨૨.
અનુયોગના પર્યાયોની ઉપર કરેલી વિચારણા એ સિદ્ધ કરે છે કે પ્રસ્તુતમાં પર્યાયો સર્વથા એકાર્થક નથી, પણ અનુયોગના જે વિવિધ પ્રકારો છે તેને પણ પર્યાયો ગણવામાં આવ્યા છે. તેથી એમ કહી શકાય કે સામાન્ય રૂપે એ પર્યાયો એક જ (અર્થાત્ શબ્દની વ્યાખ્યા કે સૂત્રની વ્યાખ્યા એવો) અર્થ ધરાવે છે, પણ તે બધામાં પોતાની આગવી વિશેષતા છે જ. તેથી તે પર્યાયો એટલે અનુયોગના વિવિધ પ્રકારો છે, વિશેષ છે. એટલે કે અનુયોગરૂપ દ્રવ્ય = અર્થના તે વિવિધ પર્યાયો, પરિણામો, વિશેષો છે, વ્યાખ્યા કરવાના વિવિધ પ્રકારો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org