SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. શ્રીમાન મણિવિજયજી ગણી (દાદા)નું સંક્ષિપ્ત જીવનચરિત્ર શું વર્ણન કરવું! એ માબાપે એમનામાં તે તે સદ્ગણોની એવી અક્ષય સુવાસ ફેલાવી હતી કે જે તેમની જીંદગીપર્યત અખુટજ રહી. આ વિનિત મુનિવરે પોતાની શારીરિક શક્તિ પહોંચી ત્યાં સુધીમાં નાના મોટા સર્વની ગોચરી પાણી વિગેરે વેયાવચ્ચ માં સતત ઉદ્યમ કર્યો. પ્રસન્ન મુખ કદિ પ્લાન થયું નહીં, સાનુકુળ પ્રતિકુળ પ્રસંગોમાં, વિહારમાં તપસ્યામાં કદિપણ વચન અને વદન વિકારી ન થયાં. મળતાવડાપણું એટલું બધું કે જેથી સ્વપર સમુદાયના કોઇ પણ મુનિઓની એમના પ્રત્યે ભિન્ન ભાવના હોતી એ એમના અન્ય અન્ય સમુદાયના મુનિઓ સાથેના સહવાસોથી જાણી શકાય છે. ડહેલાના કે વીરના કે લુહારની પોળના સાગર સમુદાયના કે વિમળ સમુદાયના સઘળા મુનિઓ સાથે વિચર્યા છે. અને ચોમાસાંઓ પણ તેમની સાથે કર્યા છે. વળી પાછળ જણાવ્યા મુજબ ખરતર ગચ્છીયમુનિ સાથે પણ સમેત શીખર પર્વતનો વિહાર કર્યો, તેમની પ્રીતિ સંપાદન કરી, આટલું છતાં પણ શ્રદ્ધા અને આચારમાં ખામી ન આવી. અન્યનું કાર્ય કરવામાં કેટલી બધી તીવ્ર અભિલાષા કે જ્યારે મુનિવર્ય શ્રી સિદ્ધિવિજયજીને દીક્ષા આપી ત્યારે પોતાની લગભગ વ્યાસી વર્ષની પૂર્ણ વૃદ્ધાવસ્થા અને શરીર બીલકુલ અશક્ત છતાં રાંદેરમાં રત્નસાગરજી મસાના દર્દથી પીડાતા હતા તેમની સેવા કરવા માટે પોતાની શારીરિક સ્થિતિનો વિચાર ન કરતાં મુનિવર્યશ્રી સિદ્ધિવિજયજીને તેમની પાસે મોકલ્યા. તેઓ એકલા જઈ શકે એમ ન હોવાથી સાથે પોતાના બીજા શિષ્ય શુભવિજયજીને પણ મોકલ્યા. જો કે આવી અવસ્થામાં ગુરૂવર્યને છોડી જવું એ તેમને ભયંકર લાગ્યું, છતાં ગુરૂઆજ્ઞાને આધીન થઈ વિનિત શિષ્ય ગુરૂને વંદના કરી, તેમની આજ્ઞાથી વિહાર કર્યો. હૃદય ભેદાયું પરંતુ ગુરૂ આજ્ઞાપાલનમાં સ્વકર્તવ્યને અધિક ગણતા છૂટા તો પડ્યા, છૂટા પડ્યા તે પડ્યા જ, પછી ગુરૂ શિષ્યનો મેળાપ ન થયો. અન્યની સેવા માટે આવા સ્વાર્થ ત્યાગી તે મહાત્માને કોટીશ: વંદના હો ! કેટલીક વાર તપસ્વીઓમાં સહનશીલતાની ન્યૂનતા હોવાથી કષાય પ્રકૃતિ વિશેષ જોવામાં આવે છે. પરંતુ આ પ્રશાંત મહાત્માએ તેને તો પ્રથમથી જ દેશવટો દીધો હતો. રાજનગરમાં ઉપાશ્રયોનો કાંઇક પક્ષપાત હોવાથી ગૃહસ્થોનું અન્ય ઉપાશ્રયે જવામાં કાંઈક શૈથિલ્ય હતું પરંતુ આ મહાનુભાવ મહાત્માની પ્રસન્ન મુખાકૃતિ ગાંભીર્ય શાંતિ અને અસાધરણ નિસ્પૃહતા વિગેરે ગુણોથી આકર્ષાઇ પ્રાય: સર્વ કોઇ એમના દર્શન અને વંદનનો લાભ લેતા એમના અનુભવીઓ કહે છે. જે આહારપાણી કે ક્રિયાકાંડ સિવાયના અન્ય કોઇ પણ અવસરે એમના હાથમાં પુસ્તક કે નવકારવાળી પ્રાય: હોય, નવકારવાળી ગણવાનો વિશેષ અભ્યાસ હતો. જ્ઞાન દશામાં જાગ્રત પ્રમાદના પારહારી હઠ કદાગ્રહથી વેગળા રહી, જ્ઞાનાદિ આચારનું સેવન કરતા જ્યાં સુધી શારીરિક સ્થિતિ નભી શકી ત્યાં સુધી અપ્રતિબદ્ધ વિહાર કરી, તપસ્યાઓ કરી, સામાચારીનું યથાર્ત શુદ્ધ આરાધન કરી, અકિંચન નિરૂપ લેપ, નિત્સંગી આ બાળ બ્રહ્મચારી મહાત્માએ લગભગ ૫૯ (ઓગણસાઠ) વર્ષ પર્યત વિશુદ્ધ ચારિત્રઆરાધન કરી ભવ્ય જીવોને અનેક ઉપકાર કર્યા અને કરાવ્યા. નિર્વાણ : પાછળ જણાવ્યા મુજબ શારીરિક સ્થિતિની મંદતાથી છેવટનાં ૧૪ ચોમાસાં રાજનગરમાં થયાં ત્યાં પણ યથાશક્તિ તપસ્યા, ભાવના, ધ્યાન વિગેરેમાં સમય નિર્ગમન કરતા. એવી અવસ્થામાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001106
Book TitleAgam 45 Chulika 02 Anuyogdwar Sutra Part 01
Original Sutra AuthorAryarakshit
AuthorPunyavijay, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1999
Total Pages540
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, G000, G010, & agam_anuyogdwar
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy