SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વહોરાવીને, તે ન મળે તો વ્રતધારી શ્રાવક-શ્રાવિકાને જમાડીને પછી એકાસણું કરવું તે અતિથિ સંવિભાગ દ્રત. ઉપર મુજબ શ્રાવકનાં બાર વ્રત છે. તે ઉપરાંત શ્રાવક જીવનમાં ૧૧ પડિમા પણ આવે છે. એકાદ વ્રત ઉચ્ચરીએ તો જઘન્ય દેશવિરતિ ગુણઠાણું અને બારે વ્રત ઉચ્ચારીએ તો મધ્યમ અને ઉપરાંત પડિમાઓ પણ વહન કરીએ તો ઉત્કૃષ્ટ દેશવિરતિ ગુણઠાણું કહેવાય છે. આ ગુણઠાણાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડવર્ણ કાળ હોય છે. કારણ કે દેશવિરતિ ગ્રહણ કરે તેવા કર્મભૂમિના જીવોનું આયુષ્ય પૂર્વક્રોડવર્ષ જ હોય છે. તેમાં ૮-૯ વર્ષની ઉંમર પછી જ વિરતિ આવે એટલે તેટલો કાળ બાદ કરતાં દેશોન પૂર્વક્રોડવર્ણ કાળ પાંચમા ગુણઠાણાનો હોય છે. ત્યારબાદ સંસારનો સર્વથા ત્યાગ કરી મહાવ્રતવાળું સાધુજીવન સ્વીકારે તો છઠ્ઠ-સાતમું ગુણઠાણું આવે છે. છાનું નામ પ્રમત્ત સંયત ગુણસ્થાનક અને સાતમાનું નામ અપ્રમત્ત સંયત ગુણસ્થાનક. સાધુજીવન સ્વીકારવા છતાં મોહવશ પ્રમાદ દશા આવી જાય તો છઠું અને સાવધાનાવસ્થા આવે ત્યારે સાતમું. આ બન્ને ગુણઠાણાં જીવનમાં અન્તર્મુહૂર્ત અન્તર્મુહૂર્ત પરાવર્તન પામ્યા જ કરે છે. જીવનમાં આત્માની સાધના કરે તે સાધુ. તત્ત્વનું ચિંતન મનન કરે તે મુનિ. શ્રાવકના જીવનમાં અણુવ્રત અને સાધુના જીવનમાં પાંચ મહાવ્રત હોય (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રતઃ નાના-મોટા, અપરાધી-નિરપરાધી કોઈપણ જીવને મારવો નહીં, મરાવવો નહીં, મારતાને વખાણવો નહીં. (૨) સર્વથા મૃષાવાદ વિરમણ વ્રત : નાનું-મોટું કોઈપણ પ્રકારનું જૂઠું બોલવું નહીં. (૩) સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત : નાની-મોટી કોઈપણ જાતની ચોરી કરવી નહીં. (૪) સર્વથા મૈથુન વિરમણ વ્રત : સ્વસ્ત્રી, પરસ્ત્રી આદિ તમામનો ત્યાગ કરવો. (૫) સર્વથા પરિગ્રહ વિરમણ વ્રત ઃ સર્વથા ઘન, સંપત્તિ, મિલકત બિલકુલ રાખવી નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001103
Book TitleJain Dharma na Maulik Siddhanto
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy