SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે અર્થ અને આલંબન એમ તે (બંને) યોગવાળાને એટલે કે તે બંને યોગમાં એકાગ્રતા-ઓતપ્રોતતા પામેલા મહાત્માને આ અનુષ્ઠાન ઘણું કરીને અવિપરીત બને છે અર્થાત્ ઈષ્ટફળ જે પરમપદ (મોક્ષ), તે રૂપ ફળનું સંપાદક જ બને છે. કારણ કે અર્થ અને આલંબનયોગ જ્ઞાનયોગ છે. અને જ્ઞાનયોગ એ ઉપયોગસ્વરૂપ છે. જ્યારે આત્મા અર્થ અને આલંબનયોગ દ્વારા સૂત્રોમાં જ્ઞાનમય (ભાવરૂપે) પરિણામ પામે છે ત્યારે તે અનુષ્ઠાન ઉપયોગપૂર્વકનું હોવાથી અવશ્ય પરમપદના ફળનું પ્રાપક બને જ છે . કારણ કે તે ઉપયોગ સહિત કરાયેલું ચૈત્યવંદન જ ભાવચૈત્યવંદનતાને પામે છે. અને ભાવચૈત્યવંદન અમૃતાનુષ્ઠાન હોવાથી અવશ્ય નિવણદાયક બને છે. प्रायो ग्रहणं सापाययोगवद्व्यावृत्यर्थम् । द्विविधो हि योगः = सापायो निरपायश्च, तत्र निरुपक्रममोक्षपथप्रतिकूलचित्तवृद्धिकारणं प्राक्कालार्जितं कर्म अपायस्तत्सहितो योगः सापायः तद्रहितस्तु निरपाय इति । तथा च सापायालम्बनयोगवत कदाचित्फलविलम्बसम्भवेऽपि निरपायतद्वतोऽविलम्बन फलोत्पत्तौ न व्यभिचार इति प्रायोग्रहणार्थः । અWયોગ અને આલંબનયોગવાળા મહાત્માઓને પરિશુદ્ધ એવું આ પદજ્ઞાન પ્રાયઃ અવિપરીત (અભીસિત) ફળદાયક થાય છે... - આ પ્રમાણે અગ્યારમી મૂળ ગાથામાં જે “પ્રાયઃ” શબ્દનું ગ્રહણ કરેલ છે. તે સાપાય યોગવાળા જીવોની વ્યાવૃત્તિ માટે છે. પ્રશ્નઃ સાપાય યોગ એટલે શું? ઉત્તર : યોગ બે પ્રકારનો છે. (૧) સાપાય અને (૨) નિરપાય, આત્માએ બાંધેલું જે કર્મ જ્ઞાનાદિ ગુણોની આરાધના વડે તોડી ન શકાય અર્થાત્ ભોગવવું જ પડે એવા (ચીકણા) કર્મને જૈનશાસ્ત્રોમાં નિકાચિત અથવા નિરૂપક્રમ કર્મ કહેવાય છે. આવા નિરૂપક્રમ મોહનીય કર્મના ઉદયને લીધે આત્માની ચિત્તવૃત્તિ (માનસિક પરિણામ) સંસારિક ભોગસુખો તરફ વૃદ્ધિ પામતી હોવાથી મોક્ષમાર્ગથી પ્રતિફૂલ કહેવાય છે. તેમાં પૂર્વકાળમાં બાંધેલું (અને હાલ ઉદયમાં આવેલું) તીવ્ર મોહનીયકર્મ કારણ કહેવાય છે. એ મોહનીયકર્મનો ઉદય એ જ “અપાય” છે. તે અપાય સહિત જે / શ્રી યોગવિશિઝ જ ૫૮ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy