SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં કોઈ શંકાકાર શંકા ઉઠાવે છે કે - ઇષપાતના દષ્ટાંતથી પરતત્ત્વનું દર્શન પ્રગટ થયે છતે કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી અનાલંબન યોગ ભલે ન હો. પરંતુ કંઈક વધારે વિશિષ્ટતર એવી સાલંબનપ્રવૃત્તિ (રૂપ યોગદશા) હોવી જોઈએ, કારણ કે કેવળજ્ઞાન પ્રગટ થવા છતાં પણ હજુ આત્મામાં મોક્ષનું ગુંજન કરવાનું (બાકી) છે. તાત્પર્ય અર્થ છે કે જેમ ધનુર્ધર ઈષપાત કરે એટલે લક્ષ્યવેધ અવશ્ય થાય. તેમ ક્ષેપક આત્મા અનાલંબનયોગરૂપ ઇષને બરાબર ગોઠવીને ધ્યાનાન્તરિક રૂપ ઇષપાતના દષ્ટાન્તથી પરતત્ત્વનું દર્શનરૂપ લક્ષ્યવેધ પામી જાય છે. એટલે હવે અનાલંબનયોગ ન હોય તે બરાબર છે. પરંતુ કેવળજ્ઞાન પામેલા આત્માઓને પણ હજુ ચાર અઘાતી કર્મો ખપાવવાનાં, યોગનો વિરોધ કરવાનો, અને મોક્ષ પ્રાપ્ત કરવાનો બાકી છે. તેથી ક્ષપક શ્રેણીની પૂર્વે તેની ભૂમિકા પ્રમાણે ગુણસ્થાનકોને અનુસારે ઉત્તરોત્તર વૃદ્ધિમંત સાલંબનયોગ હતો. તેનાથી વધુ વિશુદ્ધિ ક્ષપકશ્રેણીમાં આવવાથી વિશિષ્ટતર અનાલંબનયોગ ત્યાં (૮થી ૧૨) ગુણસ્થાનકોમાં પ્રાપ્ત થયો. તેવી રીતે કેવલી અવસ્થામાં તેઓની ભૂમિકાને અનુસારે અતિવિશુદ્ધતર મોક્ષપ્રાપ્તિ માટેની કોઈ સાલંબનયોગ પ્રવૃત્તિ હોવી જોઈએ. તમે બાનાન્તરિકાદશા કેમ જણાવો છો? ઉત્તર : મેવું =આવો પ્રશ્ન કરવો નહિ. કેવલી ભગવન્તોને પોતાના આત્મામાં મોક્ષ હજુ જોડવાનો (બાકી) હોવા છતાં પણ પરતત્ત્વને જોવાસ્વરૂપ જ્ઞાનની આકાંક્ષાનો અવિષય હોવાના કારણે ધ્યાનનું અનાલંબનપણું હોવાથી ક્ષપકશ્રેણીના કાળમાં સંભવિત એવો વિશિષ્ટતર પ્રયત્નનો અહિ અભાવ હોવાથી, તથા આવર્જિતકરણના ઉત્તરકાળમાં કરાતો યોગનિરોધનો પ્રયત્ન પણ અત્યારે નહિ હોવાથી આવર્જિતકરણના પૂર્વકાળવત કેવલી આત્માઓની પ્રવૃત્તિ ધ્યાનસ્વરૂપ બનતી નથી. કારણ કે ઉપરોક્ત બે લક્ષણોમાંથી કોઈ પણ એક લક્ષણવાળી પરિણતિને જ ધ્યાન કહેવાય છે. અર્થાત્ એ જ ધ્યાનનું લક્ષણ છે ભાવાર્થ આ પ્રમાણે = કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારથી આરંભી જ્યાં સુધી યોગનિરોધ ન કરે ત્યાં સુધી કેવળી આત્માઓને મોક્ષ મેળવવાનો બાકી હોવા છતાં પણ ધ્યાનનું કોઈ લક્ષણ ન ઘટતું હોવાથી શ્રી યોગવિશિમ જ ૧રર / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001101
Book TitleYogavinshika Tika
Original Sutra AuthorHaribhadrasuri, Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1993
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy