SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ મહર્ષિઓ ભવ્ય જીવોના ઉપકાર અર્થે વિવિધ ઉપાયો દ્વારા અનેકવિધ શાસ્ત્ર રચનાઓ વડે ધર્મતત્ત્વ સમજાવવાનો ભગીરથ પ્રયાસ કરે છે. - પૂ. ઉમાસ્વાતિજી મ., પૂ. હરિભદ્રસૂરિજી મ., પૂ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મ., પૂ. જિનભદ્રગણિજી મ. પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિજી મ. આદિ અનેક મહાત્મા પુરુષોએ અનુક્રમે પ્રશમરતિ, યોગના ગ્રંથો, વીતરાગસ્તોત્ર, વિશેષાવશ્યક ભાષ્ય અને સમ્મતિ પ્રકરણ વગેરે અનેક પ્રકારનું વિપુલ સાહિત્ય સર્જન ધર્મતત્ત્વ સમજાવવા માટે કર્યું છે. આ સઘળું સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં હોવાથી તે તે કાળના જીવોને ઘણું જ ઉપકારક હોવા છતાં, સંસ્કૃતપ્રાકૃત ભાષાના અજાણ એવા વર્તમાન કાલીન જીવોના ઉપકાર અર્થે આશરે ૩૦૦ થી ૩૨૫ વર્ષ પૂર્વે થયેલા, કાશીમાં વિદ્વાન બ્રાહ્મણોને વાદ-વિવાદમાં જીતીને ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદની પદવી પ્રાપ્ત કરનારા, લઘુહરિભદ્રસૂરિજી જેવા ઉપનામના ધારક એવા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબે ગુજરાતી ભાષામાં પણ આ ધર્મતત્ત્વ સમજાવવાનો ઘનિષ્ઠ પ્રયત્ન કરેલ છે. તે મહાત્મા પુરુષે ચોવીસ પરમાત્માનાં ૨૪ સ્તવન, ૧૨પ-૩૫૦ ગાથાનાં સીમંધર સ્વામિનાં સ્તવનો તથા મહાવીર પરમાત્માની સ્તુતિરૂપે ૧૫૦ ગાથાનું હુંડીનું સ્તવન, સમક્તિ સડસઠ બોલની સઝાય, છ સ્થાનની ચોપાઈ, આઠ દૃષ્ટિની સઝાય ઇત્યાદિ વિશાળ સાહિત્ય ગુજરાતી ભાષામાં જ બનાવ્યું છે. જે વાંચતાં રોમે રોમ હર્ષાવેશથી ખીલી ઉઠે છે. જુદા-જુદા અનેક દર્શનકારો, તથા જૈન દર્શનમાં પ્રગટ થયેલા અનેક ફિરકાઓ જાદી-જાદી રીતે આ ધર્મતત્ત્વને સમજાવે છે. પાંચમા આરાના વિષમ કાળની પ્રબળતા અને મોહાલ્પતાની તીવ્રતાના કારણે સૂત્રોના અર્થોને મરડીને, પોત પોતાના મનમાન્યા અર્થો કરીને, ધર્મતત્ત્વને ઉલટાવીને જે સમજાવે છે. ધર્મતત્ત્વ સમજાવવાની પાછળ અર્થ-કામની જ જે અપેક્ષા રાખે છે. ચિંતામણિ રત્નથી પણ અધિક મૂલ્યવાળા ધર્મને જે દોકડાથી (ધનથી) જ મૂલવે છે. આવું કુગુરુઓનું અનુચિત આચરણ જોઈને ઉપાધ્યાયજી મહારાજશ્રીનું હૃદય દ્રવી ઉઠે છે. તેઓનાં નેત્રો હૃદયગત દુ:ખજન્ય અશ્રુજળથી ભરાઈ જાય છે. મન ઘણુ જ દુઃખી દુઃખી થાય છે. તેથી આ દુ:ખ અહીં ભરતક્ષેત્રમાં જાણે કોઈને કહેવાય તેમ નથી, આમ માનીને દૂર દૂર ક્ષેત્રમાં મહાવિદેહ ક્ષેત્રમાં) રહેલા શ્રી સીમંધરસ્વામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy