SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત આ પ્રમાણે શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારના વ્યવહાર છે. એક વ્યવહાર ઉપાદેય છે. અને બીજો વ્યવહાર હેય છે. જે શુદ્ધવ્યવહાર છે તે ઉપાદેય છે. અને જે અશુદ્ધ વ્યવહાર છે તે હેય છે. તેથી જ જેમ જેમ સાધ્યસિદ્ધિ થતી જાય છે. જેમ જેમ ગુણસ્થાનકો બદલાતાં જાય છે. જીવ ઉપર ઉપરના ગુણસ્થાનકોમાં જેમ જેમ આરૂઢ થાય છે તેમ તેમ વ્યવહારો બદલાતા જાય છે. ૧૬૪ આ પ્રમાણે શુદ્ધ આચાર અને અશુદ્ધ આચાર સમજાવ્યા. ॥ ૬-૪ ॥ હવે અશુદ્ધ વ્યવહારનાં કેટલાંક ઉદાહરણો આપે છેશિથિલ વિહારીએ આચર્યા, આલંબન જે કુડાં રે । નિયત વાસાદિક સાધુને, તે નવ જાણીએ રૂડાં રે ॥ ૬-૫ ॥ તુજ વિણ ગતિ નહીં જંતુને ॥ ૬૮ ॥ શિથિલ= ઢીલાં, કુડાં= ખોટાં, નિયત= સ્થિર, રૂડાં= સારાં. ગાથાર્થ= શિથિલ વિહારી સાધુઓએ “નિયત વાસ” વગેરે જે જે કુડાં આલંબનો આદર્યાં છે. તે સાધુને માટે સારાં ન જાણવાં. ॥ ૬-૫ || વિવેચન= “પરમાર્થપદ પ્રાપ્તિની” તીવ્ર ઝંખના જેમનામાં વર્તે છે. સાંસારિક ભોગસુખોનો રાગ જેઓને ઓસરી ગયો છે. આત્માર્થિતા જેઓમાં પ્રગટ થઈ છે. તેવા મહાત્માઓ સંવેગ-નિર્વેદ ગુણે કરીને શાસ્ત્રાનુસારી વિધિ-નિષેધ રૂપે શુદ્ધાશુદ્ધ વ્યવહારને જાણે છે. યથાતથ્ય ભાવે શક્તિ અનુસાર તેનું અનુસરણ કરે છે. વિધેય આચરણમાં પ્રવર્તન અને નિષેધ્ય આચરણમાં નિવર્તન કરવા દ્વારા તે મહાત્માઓ સ્વ-પરનું કલ્યાણ સાધે છે. પરંતુ જેઓનાં પરિણામમાંથી મોહદશા ઓગળી નથી. ચિત્તવૃત્તિઓમાંથી વિષયવિકારો નષ્ટ થયા નથી. કેવળ માનમોભાની, સ્વપ્રતિષ્ઠાની અને બાહ્ય આડંબરોની જ તીવ્ર બુભૂક્ષા જેમના હૃદયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001100
Book TitleSavaso Gatha nu Hundi nu Stavan
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2003
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Devotion, & Spiritual
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy